વનબંધુ આશ્રમ શાળા વરતોલમા સ્વેટર વિતરણ કરાયા
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા દાતાઓના સહયોગથી તારીખ ૬- ૧- ૨૨ ના રોજ ખેડબ્રહ્માના વરતોલ મુકામે વનબંધુ આશ્રમશાળામાં જરૂરિયાતમંદ બાળકોને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે એક થી દશ ધોરણના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીમાં રાહત મળે તે માટે ગુણવત્તા યુક્ત સ્વેટરનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમ પુજારા મોબાઈલ વાળા શ્રી જીગ્નેશભાઈ રાવલ તથા શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ મેડિકલ વાળા તથા શ્રી સંજયભાઈ ચૌહાણના સૌજન્યથી કરાયો હતો.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના વિભાગ મંત્રી શ્રી નિકેશભાઈ શંખેશરા, પ્રમુખ પ્રા. ડૉ. રોહિત દેસાઈ મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ, મીડિયા ઇન્ચાર્જ શ્રી હસમુખભાઈ પંચાલ, સદસ્ય અને ખેતીવાડી નિયામક શ્રી હિતેશભાઈ પટેલ, ડૉ. હર્ષદભાઈ પટેલ તથા હરીશભાઈ રામી તથા વનબંધુ આશ્રમશાળા નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.