Western Times News

Gujarati News

છુટાછેડા થાય તો અભિષેકે ઐશ્વર્યાને દર મહિને ૪૫ લાખ આપવા પડશે?

મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય હાલમાં એક સાથે નજરે પડ્યા હતા. પણ ફેન્સ તેમની વચ્ચેના ખટરાગને જાણી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, જાેઈએ તો, બંને સ્ટાર્સની દીકરી આરાધ્યાની સ્કૂલના ફંક્શનમાં પહોંચ્યા હતા, પણ અલગ અલગ.

બસ અહીંથી લોકોને લાગતું હતું કે, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની વહુ અને દીકરાના સંબંધમાં કંઈક તો ગરબડ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના છુટાછેડાની વાતો કરી રહ્યા છે. અફવાઓ છે કે, બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અલગ થવા જઈ રહ્યા છે.

બંનેના છુટાછેડાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં મેગાસ્ટારના એકમાત્ર પુત્ર અભિષેક બચ્ચનની સંપત્તિની જાણકારી વાયરલ થઈ રહી છે. જાે બંને વચ્ચે છુટાછેડા થાય તો ઐશ્વર્યા રાયને કેટલી એલિમની મળશે. અભિષેક બચ્ચન ઈંડસ્ટ્રીના ખ્યાતનામ એક્ટર્સમાંથી એક છે.

તે ૬૮થી વધારે ફિલ્મો કરી ચુક્યો છે. જેમાંથી ૩૮ ફ્લોપ થઈ છે તો અમુક બ્લોકબસ્ટર અને અમુક હિટ રહી છે. જૂનિયર બીએ બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ રિફ્યૂજી ફિલ્મથી કર્યું હતું, જે ૨૦૦૦માં રિલિઝી થઈ હતી.

આ ફિલ્મ માટે અભિષેકને બેસ્ટ મેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. શું આપને ખબર છે કે, અભિષેક કેટલી સંપત્તિનો માલિક છે. જાે છુટાછેડા થાય તો આ મામલામાં અભિષેકે ઐશ્વર્યાને કેટલું વળતર આપવું પડશે? મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ લગભગ ૨૮૦ કરોડ રૂપિયા છે.

એક્ટર દર મહિના લગભગ ૧.૮ કરોડ રૂપિયા કમાય છે. તેની વાર્ષિક આવકની વાત કરીએ તો, તે લગભગ ૨૫ કરોડ રૂપિયા છે. તેમની પ્રોપર્ટી વેલ્યૂ લગભગ ૭૫ કરોડ રૂપિયા છે અને બાકીની સંપત્તિની વેલ્યૂ લગભગ ૬૦ કરોડ રૂપિયા છે.

ત્યારે આવા સમયે દાવો કરવામાં આવે છે કે, ૨૫ ટકાના હિસાબે જાેઈએ તો, તેને ઐશ્વર્યાને દર મહિને ૪૫ લાખ રૂપિયા આપવા પડશે. અભિષેક બચ્ચન ભારતીય સિનેમાની એક પ્રમુખ હસ્તી છે. તે સિનેમા અને ઉદ્યોગના ક્ષેત્રમાં એક પ્રસિદ્ધ વ્યક્તિ છે.

આ જ કારણ છે કે, તે કેટલીય બ્રાંડ્‌સના એંબેસડર છે. ૫ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ જન્મેલા દાદા હરિવંશ રાય બચ્ચન એક કવિ હતા અને દાદી તેજી બચ્ચન એક સામાજિક કાર્યકર્તા હતા. અભિષેકની માતા જયા બચ્ચન અને પિતા અમિતાભ બચ્ચન બંને બોલીવુડના સ્ટાર્સ છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન ૨૦ એપ્રિલ ૨૦૦૭ના રોજ થયા હતા. બંનેના લગ્નને ૧૬ વર્ષ થઈ ચુક્યા છે.

વર્ષ ૨૦૧૧માં ઐશ્વર્યાએ આરાધ્યાને જન્મ આપ્યો હતો. બની શકે છે કે દરેક પરિવારની માફક બચ્ચન પરિવારમાં પણ સંબંધોને લઈને ઉતાર-ચડાવ આવ્યા હોય, પણ આ મામલા પર હજુ સુધી બચ્ચન પરિવાર અથવા ઐશ્વર્યા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

સોશિયલ મીડિયા પર આવી ચર્ચાઓથી અફવાઓની બજાર ગરમ છે. પણ આ કપલ હાલમાં તો એક સાથે જાેવા મળ્યું છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.