Western Times News

Gujarati News

કૌન બનેગા કરોડપતિની નવી સિઝન વધુ થ્રિલિંગ હશે

મુંબઈ, કૌન બનેગા કરોડપતિની ૧૫મી સિઝનના અંતિમ એપિસોડમાં અમિતાભ બચ્ચને એવી રીતે વિદાય લીધી હતી, જાણે દર્શકોને લાગ્યું હતું કે હવે અમિતાભ બચ્ચન અને કેબીસીને એકસાથે જોઈ શકાશે નહીં.

પરંતુ લોકચાહના અને લોકલાગણીને માન આપીને ફરી તેની ૧૬મી સિઝનની જાહેરાત કરવામાં આવી ત્યારે પણ લોકોને લાગેલું કે આટલું ઝડપી નવી સીઝન નહીં આવે. સરપ્રાઈઝની આ પરંપરાને કેબીસીના નવા પ્રોમોએ આગળ વધારી છે. પ્રોમોમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૬મી સિઝનની તારીખ જાહેર થઈ છે.

૧૨ ઓગસ્ટથી નવી સિઝનને અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. આ વખતની સીઝન વધુ થ્રિંલિંગ અને પ્રતિસ્પર્ધીઓ માટે વધુ જીવન બદલવાની વધુ તક આપનારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તેની ટૅગ લાઇન આપવામાં આવી છે કે,“ઝિંદગી હે, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા!” જે સૂચવે છે કે આ વખતે વધારે સંખ્યામાં અને વધારે પ્રકારના પ્રશ્નો હશે, જેના જવાબો આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કેબીસી રમત અને પૈસા જીતવાની સાથે ડ્રામા અને ઉત્સુકતા તેમજ ભાવનાઓની રોલકોસ્ટર રાઈડ ગણાય છે. જેમાં લોકોની ભાવનાત્મક અને પ્રેરણાત્મક કહાણીઓ ઉપરાંત તમે જ્ઞાનનો ભંડાર પણ ઘેર બેઠાં મેળવી શકો છો, આમ તે દરેક પ્રકારના દર્શકવર્ગને આકર્ષે તેવો શો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.