ઓલરાઉન્ડર યુવરાજનું કરિયર વિરાટ કોહલીએ ખતમ કર્યું: પૂર્વ ક્રિકેટરનું વિવાદાસ્પદ નિવેદન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/01/robinuthappa.jpg)
કોહલીએ મજબૂત ઓલરાઉન્ડર યુવરાજની ફિટનેસમાં થોડી છૂટ આપવાની વિનંતીને ફગાવી દીધી હતી
નવી દિલ્હી, ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ શ્રFormer Indian batsman Robin Uthappa) કેન્સરને હરાવીને ટીમમાં પરત ફરેલા યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવવા માટે વિરાટ કોહલીને જવાબદાર ગણાવ્યો છે. રોબિન ઉથપ્પાના જણાવ્યા અનુસાર વિરાટ કોહલીએ મજબૂત ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ફિટનેસમાં થોડી છૂટ આપવાની વિનંતીને ફગાવી દીધી હતી. IPL અને T20 ક્રિકેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક યુવરાજ સિંહે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ ૨૦૧૧ ના ટાઇટલ જીત્યા પછી યુવરાજ સિંહને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેણે અમેરિકામાં સારવાર લીધી હતી. યુવરાજ સિંહ કેન્સરમાંથી સાજા થયા બાદ ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો અને તેણે ઈંગ્લેન્ડ સામેનીડ્ઢૈં મેચમાં સદી પણ ફટકારી હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭માં ખરાબ પ્રદર્શન બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
રોબિન ઉથપ્પાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, યુવી પા (યુવરાજ સિંહ)નો જ દાખલો લો. તે વ્યક્તિ કેન્સરને હરાવીને આંતરરાષ્ટ્રીય ટીમમાં પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે વ્યક્તિએ આપણને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે તમે કેપ્ટન બનો છો તો તમે એવા ખેલાડી વિશે કહો છો કે તેના ફેફસાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે, જ્યારે તમે તે ખેલાડીને સંઘર્ષ કરતા જોયા હશે. કોઈએ મને આ વિશે કહ્યું નથી, પરંતુ હું વસ્તુઓનું મૂલ્યાંકન કરું છું.
રોબિન ઉથપ્પાએ કહ્યું, તમે તેને સંઘર્ષ કરતા જોયા છે પછી જ્યારે તમે કેપ્ટન બનો છો ત્યારે તમે કેટલાક માપદંડો બનાવીને તેનું સ્તર જાળવી રાખવા માંગો છો, પરંતુ દરેક કિસ્સામાં કેટલાક અપવાદો છે અને અહીં અમે તે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ જે બનવાના લાયક હતા અપવાદ તે વ્યક્તિએ તમારા માટે માત્ર ટુર્નામેન્ટ જ જીતી નથી પરંતુ કેન્સરને પણ હરાવી છે.’ જોકે, આ પહેલા તેણે ટીમમાં સામેલ થવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો.
રોબિન ઉથપ્પાએ કહ્યું, જ્યારે યુવીએ બે અંકની કપાત માટે વિનંતી કરી, ત્યારે તેને તે મળ્યું નહીં. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તે ટીમમાં આવ્યો હતો, પરંતુ એક ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના પર ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો. ત્યારે વિરાટ કેપ્ટન હતો, જે કંઈ પણ થયું તેના અનુસાર જ થયું.
રોબિન ઉથપ્પાએ કોહલીની કેપ્ટનશિપ સ્ટાઈલ વિશે કહ્યું કે તે માય વે અને ધ હાઈવે પ્રકારનો કેપ્ટન હતો. રોબિન ઉથપ્પાએ કહ્યું, હું વિરાટની કપ્તાનીમાં વધુ રમ્યો નથી, પરંતુ એક કેપ્ટન તરીકે તે માય વે કે હાઈવે પ્રકારનો કેપ્ટન હતો. તે માત્ર પરિણામોથી જોડાયેલો નથી પરંતુ તે પોતાની ટીમ અને સાથીઓની સાથે વ્યવહારથી પણ જોડાયેલો છે.