Western Times News

Gujarati News

જીવરાજપાર્ક ચાર રસ્તા થી વેજલપુર સુધી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજાઈ

અમદાવાદ, કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકની હત્યાના વિરોધમાં અમદાવાદમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ જીવરાજપાર્ક ચાર રસ્તાથી વેજલપુર સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં મ્યુનિસિપલ કાઉન્સિલર દિલીપ બગડીયા અને ધારાસભ્ય અમિત ઠાકર સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા.

કાશ્મીરમાં થયેલ હિંસાના વિરોધમાં યોજાયેલ આ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ દ્વારા લોકોએ આતંકવાદ સામે એકજૂટતા દર્શાવી હતી અને નિર્દોષ નાગરિકોની હત્યાને વખોડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.