Western Times News

Gujarati News

અડીખમ આમિરઃ લોકેશ સાથે સુપરહિરો ફિલ્મ ફાઈનલ કરી

૨૦૨૬માં આ ફિલ્મનું કામ શરૂ થશે, આમિરે કન્ફર્મ કર્યું

લોકેશ કનગરાજ સાથેની આ ફિલ્મ વિશે વાત કરતા આમિર ખાને કહ્યું, લોકેશ અને હું સાથે ફિલ્મ કરી રહ્યા છીએ

મુંબઈ,આમિર ખાન હેલ તો તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સ્પોટ્‌ર્સ ડ્રામા ફિલ્મ ૨૦ જૂને રિલીઝ થવાની છે. તે પહેલાં આમિરે તેની આગામી ફિલ્મ અંગે પણ જાહેરાત કરી દીધી છે. ૨૦૨૪માં એવા અહેવાલો આવેલા કે આમિર ખાન તમિલ ફિલ્મ મેકર લોકેશ કનગરાજ સાથે સુપરહિરો સ્ટોરી આધારીત ફિલ્મની વાટાઘાટોમાં છે. આ અંગે વાત કરતા આમિરે હવે કન્ફર્મ કરી દીધું છે કે તે આ ફિલ્મ કરે છે અને તેમાં વાતચીત આગળ વધી છે.લોકેશ કનગરાજ સાથેની આ ફિલ્મ વિશે વાત કરતા આમિર ખાને કહ્યું,“લોકેશ અને હું સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ એક સુપરહિરો ફિલ્મ છે, જેમાં મોટા પાયે એક્શન સીનનું આઉટડોર શૂટિંગ થશે.”

આમિરે આગળ એવું પણ કહ્યું તેણે આ ફિલ્મ સાઇન પણ કરી લીધી છે અને ૨૦૨૬નાં બીજા ભાગમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આમિરે કહ્યું,“૨૦૨૬ના બીજા ભાગમાં ફિલ્મનું શૂટિંગ શરુ થશે. અમે બંનેએ સાઇન પણ કરી લીધી છે. આથી વિશેષ હું કંઈ જ કહી શકીશ નહીં. આ બે વર્ષ પછીની વાત છે.”આ ઉપરાંત ઇન્ટરવ્યુમાં આમિરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત વિશે પણ વાત કરી હતી, તેણે કહ્યું,“છેલ્લાં ૨૫ વર્ષથી મહાભારત મારું સપનું રહ્યુ છે. તમે જ્યારે મહાભારત બનાવો ત્યારે તમે માત્ર એક ફિલ્મ નથી બનાવી રહ્યા. તમે એક યજ્ઞ કરવા નીકળ્યા છો. તમારે સજ્જ થવું પડે, જેના માટે હું તૈયારી કરી રહ્યો છું.

મારું સપનું પૂરું થશે કે નહીં, એ મને હજુ ખબર નથી. પરંતુ જ્યાં સુધી હું એ રસ્તે ચાલું નહીં, જ્યાં સુધી મારી સામે પ્રાથમિક માળખું તૈયાર ન હોય, ત્યાં સુધી હું આ અંગે કશું જ કહી શકીશ નહીં. હું તમને ફિલ્મની કાસ્ટ વિશે પણ કશું જ કહી શકીશ નહીં. હું જે પણ કહીશ એ ખોટું હશે, હાલ મારી પાસે યોગ્ય માહિતી નથી.”આમિરે કહ્યું,“૨૫ વર્ષથી મારું મન છે કે હું મહાભારત પર કામ કરું. પરંતુ જેમ મે કહ્યું એમ, આ એક અલગ સફર હશે. આ સફર ક્યાં પહોંચશે એ મને ખબર નથી. પરંતુ આ સફર ચોક્કસ શરુ થશે. પરંતુ હાલ એ માત્ર એક સપનું છે.”આ સુપરહિરો ફિલ્મનું કામ કરતાં પહેલાં આમિર અને લોકેશ બંને તેમના પહેલાંના કામ પૂરા કરી દેશે. એક તરફ તમિલ ફિલ્મ મેકર લોકેશ કનગરાજ હાલ તો રજનીકાંત સાથે ‘કૂલી’માં વ્યસ્ત છે, પછી કાર્થિ સાથે ‘કૈથી ૨’નું કામ શરૂ કરશે.

જ્યારે આમિર હાલ ‘સિતારે ઝમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે., એના પછી તે રાજકુમાર હિરાણી સાથે દાદા સાહેબ ફાળકેની બાયોપિક પર કામ શરૂ કરશે. ચર્ચા તો એવી પણ હતી કે રાજકુમાર હિરાણી અને આમિર ખાન ‘પીકે ૨’ અંગે પણ ચર્ચા કરી રહ્યા છે.જોકે, આમિરે આ વાત ફગાવી દીધી છે. તેણે કહ્યું,“પીકે ૨ માત્ર એક અફવા છે. મને એના વિશે કંઈ જ ખબર નથી. હા દાદા સાહેબ ફાળકેની ફિલ્મ ચોક્કસ બની રહી છે. હું અને રાજુ એના પર કમ કરી રહ્યા છીએ.

”આ ઉપરાંત આમિર અને લોકેશ વધુ એક ફિલ્મ માટે સાથે કામ કરી રહ્યા છે. લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’માં પણ આમિર એક મહેમાન કલાકારનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે, જેમાં રજનીકાંત લીડ રોલમાં છે. લોકેશે આ ફિલ્મમાં આમિર માટે એક ખાસ પાત્ર લખ્યું છે. આ ફિલ્મમાં નાગાર્જૂન, ઉપેન્દ્ર, શૌબિન શાહિર અને શ્›તિ હસન પણ છે. બીજી એક વાત એવી પણ છે કે લોકેશની ‘કૂલી’ની ટક્કર બોક્સ ઓફિસ પર જુનિયર એનટીઆર અને રિકિતની ‘વાર ૨’ સાથે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.