Western Times News

Gujarati News

ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યા ચોથા પ્રયાસમાં થઇ હતીઃ મેઘાલય પોલીસ

અગાઉના ત્રણ પ્રયાસો મેઘાલયમાં જ થયા હોવાનો પોલીસનો દાવો

રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ ૨૩મી મેએ મેઘાલયમાં પોતાના હનીમૂન દરમિયાન લાપતા થઈ ગયા હતા

નવી દિલ્હી, ઈન્દોરના બિઝનેસમેન રાજા રઘુવંશીને હત્યાને શુક્રવારે દસ દિવસ થઈ ચુક્યા છે. આ હત્યાકાંડમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ છે. આ દરમિયાન મેઘાલય પોલીસે શુક્રવારે એક મોટો ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું છે કે રાજા રઘુવંશીની હત્યા આરોપીઓ દ્વારા ચોથા પ્રયાસમાં કરવામાં આવી હતી. જેમાં રાજાની પત્ની સોનમ પણ સામેલ હતી. ઇસ્ટ ખાસી હિલ્સના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિવેક સિમે ઉમેર્યું કે, રાજાની હત્યાનો પ્રથમ પ્રયાસ ગુવાહાટીમાં કરવામાં આવ્યો હતો, ત્યાર પછી સોહરામાં બે વાર હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

આ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને છેવટે વેઇસાડોંગમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ સુપરિટેન્ડેન્ટ સ્પષ્ટ કર્યું કે એ(આરોપીઓ) રાજાને કેટલીયે જગ્યાએ ખતમ કરવા ઈચ્છતા હતા. હું તમને જણાવું છું કે રાજાને ગુવાહાટીમાં મારવા ઈચ્છતા હતા, પરંતુ આરોપીઓ આવું કરી શક્યા નહીં. એ રાજાને નોંગ્રિયાટમાં ખતમ કરવા ઈચ્છતા હતા, પરંતુ આરોપીઓને મૃતદેહ છુપાવવા માટે કોઈ જગ્યા મળી નહીં, એ માવલખિયાટ અને વેઇસાડોંગની વચ્ચે પણ રાજાને મારવા ઈચ્છતા હતા, એ વખતે રાજા પેશાબ કરવા ગયા હતો, પરંતુ અહીં પણ આરોપીઓ સફળ થયા નહીં અને છેવટે રાજાની વેઇસાડોગમાં હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ ૨૩મી મેએ મેઘાલયમાં પોતાના હનીમૂન દરમિયાન લાપતા થઈ ગયા હતા. રાજાનો મૃતદેહ બીજી જૂને પૂર્વ ખાસી હિસ્સા જિલ્લાના સોહરા વિસ્તાર(ચેરાપૂંજી ક્ષેત્ર)માં એક ઝરણાની પાસે ઊંડી ખીણમાંથી મળી આવ્યો હતો.ઉજ્જૈનઃ ઈન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ મામલામાં શુક્રવારે રાજા અને સોનમ રઘુવંશીના પરિવારજનો ઉજજૈન પહોંચ્યા અને રાજાનું પિંડદાન કર્યું હતું.

આ નિમિત્તે સોનમનો ભાઈ ગોવિંદ પણ હાજર રહ્યો હતો. ગોવિંદે પણ પંડિતના કહેવા પ્રમાણે રાજાના પિંડદાનમાં તર્પણ કર્યું હતું. ગોવિંદે મીડિયા સાથે વાતચીત કરતી વખતે સોનમ અને રાજના પ્રેમસંબંધને લઈને કહ્યું કે આ અંગે ખબર ન હતી પરંતુ જો બહેનના અફેયરની ખબર હોત લગ્ન કરાવી દીધા હોત. ઉલ્લેખનીય છે કે રાજા રઘુવંશીની હત્યાને શુક્રવારે ૧૦ દિવસ થઈ ચુક્યા છે. સનાતન પરંપરા મુજબ પરિવારે રાજાની દસમી તિથિ મનાવીને ક્ષિપ્રા નદીના ઘાટ પર પિંડદાન કર્યું હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.