Western Times News

Gujarati News

અનુરાગ કશ્યપ પછી હવે નવાઝુદ્દીન સિદ્દીકી OTTથી નિરાશ

નવાઝુદ્દીને કહ્યું, જો તમે કળામાં કમર્શીયલ બાબતોને આટલું બધું મહત્વ આપશો તો તેનાથી ઘણું નુકસાન થશે

શરૂઆત પેશન થી થાય છે અને પછી ધંધો બની જાય છે : નવાઝુદ્દીન

મુંબઈ, જ્યારે ભારતમાં ઓટીટી નવું હતું અને લગભગ બધી જ વૅબ સિરીઝ સારા કન્ટેન્ટ અને કલાકારો સાથે આવીને છવાઈ જતી હતી, ત્યારે નવાઝુદ્દીન પણ “અપુન હી ચ ભગવાન હૈ”થી છવાઈ ગયો હતો, તેનાં ‘ઝ સેક્રેડ ગેમ્સ’ના આ ડાયલોગના અસંખ્ય મિમ્સ પણ બનતા રહે છે. આ જ વૅબ સિરીઝ મુદ્દે તાજેતરમાં નેટફ્લિક્સના સીઈઓએ આપેલાં વિવાદાસ્પદ નિવેદન પછી આ શોના ડિરેક્ટર અનુરાગ કશ્યપે પણ તેમની ટીકા કરી હતી. હવે નવાઝુદ્દીન સિદ્દકીએ પણ ઓટીટીના વલણ સામે નિઃરાશા વ્યક્ત કરી છે.

થોડાં દિવસ પહેલાં અનુરાગ કશ્યપે નેટફ્લિક્સના સીઈઓ ટેડ સેરેન્ડોઝને ડમ્બ ગણાવ્યો, કારણ કે તેણે એક ઇન્ટરવ્યુમાં એવું નિવેદન આપ્યું કે ‘મારે સેક્રેડ ગેમ્સના બદલે કોઈ વધુ પ્રચલિત વિષયનો શો શરૂ કરવાની જરૂર હતી.’ અનુરાગ કષ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેના આ શોમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાન સિવાય પણ ઘણા જાણીતા ચહેરા હતા. ત્યારે હવે નવાઝે પણ છેલ્લાં કેટલાંક વખતથી ભારતમાં ઓટીટી જે દિશામાં આગળ વધી રહ્યું છે, તે અંગે નિઃરાશા વ્યક્ત કરી હતી. તેણે એમ પણ કહ્યું કે તે સેક્રેડ ગેમ્સ પછી હવે છેક એક સિરીઝનું કામ કરી રહ્યો છે.

વચ્ચે તેણે વિવિધ ઓટીટી પ્લેટફર્મ માટે અડધો ડઝન ફિલમ કરી છે. નવાઝે કહ્યું, “કોઈ પણ પ્લેટફર્મ હોય કે પછી પ્રક્રિયા હોય, શરૂઆતમાં તો જોરદાર જ હોય છે પરંતુ ધીરે ધીરે તે ધંધો બની જાય છે. ” નવાઝુદ્દીને આગળ કહ્યું, “જો તમે કળામાં કમર્શીયલ બાબતોને આટલું બધું મહત્વ આપશો તો તેનાથી ઘણું નુકસાન થશે. એવું જ થયું છે, સમયાંતરે શરુઆત તો પેશનથી થાય છે પણ પછી એનો ધંધો બની જાય છે.” નવાઝ અને અનુરાગ કશ્યપ બંને માને છે કે હવે ઓટીટી અને ફિલ્મ વચ્ચે ભારતમાં કોઈ ભેદ રહ્યો નથી. નવાઝે કહ્યું, “જે ચોર હોય એ સર્જનાત્મકતા ક્યાંથી લાવશે. આપણે સાઉથમાંથી ચોર્યું, ક્યારેક અહીંથી ચોર્યું, ક્યારેક ત્યાંથી. કેટલીક કલ્ટ ફિલ્મ જે હિટ થઈ ગઈ હોય તો પણ એના સીન પણ ચોરેલા હોય છે. આ બાબતને એટલી સ્વીકારી લેવાઈ છે કે જાણે ચોરી કરી તો શું?”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.