નર્મદા પાસે કાર-ટ્રકની વચ્ચે અકસ્માત : ૪ લોકોના મોત

Files Photo
અમદાવાદ: નર્મદા જિલ્લાના સુપ્રસિધ્ધ કુબેરભંડારી ખાતે દર્શન કરવા ગયેલા મહારાષ્ટ્રના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેમાં શ્રધ્ધાળુઓની કાર માંતેલા સાંઢની જેમ આવેલી ટ્રકની ટક્કરથી ભુક્કો બોલી ગઇ હતી. બહુ જ ગંભીર અને ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના કરૂણ મોત નીપજયા હતા. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માતમાં ચાર લોકોના એકસાથે મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અને સ્થાનિક લોકોમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રના લોકો ગુજરાતના નર્મદા જિલ્લા પાસેના સુપ્રસિધ્ધ કુબેરભંડારી મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જયાં દર્શન બાદ આ પરિવાર કારમાં પરત ફરી રહ્યો હતો
ત્યારે રાજપીપળા અને વિશાલ ખાડી વચ્ચે આવતાં ભયજનક વળાંકમાં પૂરપાટઝડપે આવી રહેલી ટ્રક સાથે કારનો ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કર એટલી જારદાર હતી કે, કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા લોકોને બહુ જ ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા.
જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ને જાણ કરી ઇજાગ્રસ્તોને નજીકની હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, અકસ્માતને લઇ સમગ્ર હાઇવે પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી.