રાજેશ એક્સપોર્ટ્સના પ્રમોટર પર રૂ. 15.15 લાખ કરોડની આવક ખોટી રીતે બતાવવાનો કંપની પર આરોપ
- સેબીની કાર્યવાહી બાદ રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં 5% ની લોઅર સર્કિટ લાગી.
- સેબીએ પ્રમોટર રાજેશ મહેતા પર શેરબજારના વ્યવહારો કરવા અંગે પ્રતિબંધ મૂક્યો.
- કંપની અને ઓડિટર્સે તપાસમાં સહકાર ન આપ્યો હોવાનો સેબીનો દાવો.
નવી દિલ્હી, 5 જૂન, 2026: મૂડી બજાર નિયામક સેબી (SEBI – સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા કથિત નાણાકીય ગેરરીતિઓ બદલ રાજેશ એક્સપોર્ટ્સના પ્રમોટર અને સીઈઓ રાજેશ મહેતા પર કંપનીના શેરના ટ્રેડિંગ કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ, શુક્રવારે સતત બીજા સત્રમાં કંપનીના શેરમાં 5 ટકાનો મોટો કડાકો બોલાયો હતો અને શેર લોઅર સર્કિટની મર્યાદાને સ્પર્શી ગયો હતો.
#RajeshExport shares were at Rs 76-80 in March 2014, however it started sky rocketing every once in a while with peak at Rs 850+ per share, it fell 80% in last 5 years,
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કંપનીનો શેર 4.99 ટકા તૂટીને રૂ. 98.73ની લોઅર સર્કિટ લિમિટે પર આવી ગયો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તે 4.97 ટકા ઘટીને રૂ. 99.45 પર બંધ રહ્યો હતો.
Rajesh Exports fraud explained in 60 seconds.
What did SEBI find, why is LIC involved, and why is everyone talking about Akshat Srivastava?
Here’s the complete story, simplified.#rajeshexports #akshatsrivastava #sebi pic.twitter.com/YHUGkp4XYU
— Shubham Jain (@Shubham_2806) June 4, 2026
આ ભારે વેચવાલી સેબીના એ વચગાળાના આદેશ બાદ જોવા મળી છે, જેમાં કંપની પર નાણાકીય સ્ટેટમેન્ટ્સમાં મોટા પાયે ખોટી રજૂઆતો કરવા, ફંડની ઉથલપાથલ (ડાયવર્ઝન) કરવા તેમજ સંબંધિત પક્ષો (રિલેટેડ-પાર્ટી) વચ્ચે થયેલા વ્યવહારો અને ફંડની હેરફેર અંગે અપૂરતી માહિતી આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
નિયામકના વચગાળાના આદેશ અનુસાર, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પૂરતા દસ્તાવેજો કે ખુલાસા વિના જ પર્સનલ એકાઉન્ટ્સ અને સંબંધિત સંસ્થાઓ (એન્ટિટીઝ) મારફતે નાણાંની હેરફેર (રાઉટિંગ અને લેયરિંગ) કરવામાં આવી હતી.
સેબીએ જણાવ્યું હતું કે કંપનીને સચોટ નાણાકીય સ્ટેટમેન્ટ આપવા અને આ ફંડનો અંતિમ ઉપયોગ, તેનો વ્યાપારી હેતુ તથા તેના વાસ્તવિક લાભાર્થીઓ કોણ છે તેની સ્પષ્ટતા કરતા રેકોર્ડ્સ રજૂ કરવા માટે વારંવાર સમન્સ અને તકો આપવામાં આવી હતી, પરંતુ કંપની તરફથી મળેલા જવાબો અસંતોષકારક રહ્યા હતા.
માર્કેટ રેગ્યુલેટરે કંપનીના વૈધાનિક ઓડિટર્સ (સ્ટેચ્યુટોરી ઓડિટર્સ) ના અસહકાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આદેશમાં જણાવાયું છે કે જુબાની દરમિયાન ખાતરી આપી હોવા છતાં, ઓડિટર્સ દ્વારા ઓડિટ વર્કિંગ પેપર્સ પૂરા પાડવામાં આવ્યા ન હતા. સેબીના મતે, આ પ્રકારનો સતત અસહકાર એ બાબત તરફ ઈશારો કરે છે કે કદાચ મહત્વની માહિતી છુપાવવાનો અને નિયમનકારી તપાસમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સેબીએ વધુમાં નોંધ્યું છે કે કંપનીની લગભગ 97 થી 99 ટકા રેવન્યુ (આવક) ફૂલાવીને (ખોટી રીતે વધારે) બતાવવામાં આવી હોવાનું જણાય છે. નિયામકે આ ગેરરીતિઓને “ચોંકાવનારી અને અભૂતપૂર્વ” ગણાવી છે.
સેબીના હોલ ટાઈમ મેમ્બર કમલેશ ચંદ્ર વર્ષણૈયે વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, “મેં નોંધ્યું છે કે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ (REL) એ નાણાકીય વર્ષ 2021 થી 2025 દરમિયાન તેની પેટા કંપનીઓ (સબસિડિયરીઝ) ની આવકના આશરે 99.80 ટકા જેટલી એટલે કે આશરે રૂ. 15,15,385 કરોડની આવકની પ્રાથમિક દ્રષ્ટિએ ખોટી રજૂઆત કરી છે.”
આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજેશ મહેતા કંપનીની રોજબરોજની બાબતો અને નાણાકીય કામગીરી પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા હતા, તેથી આગામી આદેશો સુધી તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપનીના શેરોની ખરીદી, વેચાણ કે કોઈપણ પ્રકારના વ્યવહારો કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.
બીજી તરફ, રાજેશ એક્સપોર્ટ્સ દ્વારા આ તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે અને દાવો કરાયો છે કે કંપનીમાં કોઈ નાણાકીય ગેરરીતિ થઈ નથી.
એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે તેની આવકની સાચી માહિતી આપવામાં આવી છે અને કંપની તથા નિયામક (સેબી) વચ્ચે કોઈ સંવાદની ખામી (કમ્યુનિકેશન ગેપ) હોવાનું જણાય છે. બેંગલુરુ સ્થિત આ કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રમાણિત દસ્તાવેજોની સમીક્ષા કર્યા પછી નિયામક સાચા નિષ્કર્ષ પર પહોંચશે.
