Western Times News

Gujarati News

સીએસકેની ટીમ સાથે હરભજનસિંહ જોડાશે નહીં

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

મુંબઇ, હાલ કોરોના મહામારીને વચ્ચે બીસીસીઆઇઆઇપીએલ યુએઇમાં રમાડવાની તૈયારીઓ કરી લીધી છે હાલ આઇપીએલની તમામ ટીમો મેચ માટેની તૈયારીઓમાં લાગી ગઇ છે. પણ આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે ઓફ સ્પિનર હરભજન સિંહ કે જે ચેન્નાઇ સુપર કિંગ્સનો ખેલાડી છે તે પોતાની ટીમ સાથે યુએઇનો પ્રવાસ નહીં કરે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ યુએઇ જવા માટે રવાના થવાની છે.

૪૦ વર્ષીય સ્પિનર હરભજન સિંહ હાલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના ૫ દિવસીય ટ્રેનિગ કેમ્પમાં પણ સામેલ થયો ન હતો આ કેમ્પમાં રવીન્દ્ર જાડેજા અને શારદુલ ઠાકુર પણ ગેરહાજર રહ્યાં હતાં જાે કે ઠાકુર કેમ્પમાં જાેડાઇ ગયો હતો તો જાડેજા આજે એટલે ગુરૂવારે ટીમ સાથે જાેડાયો છે. આજે સીએસકેના પાંચ દિવસીય કેમ્પની સમાપ્તિ થશે અને ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના સાથી ખેલાડીઓ અને ટીમ તરફથી કરવામાં આવેલ ટ્રેનિંગ માટેની તૈયારીઓથી સંતુષ્ટ છે એ યાદ રહે કે મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઇ ટીમ સાથે જાેડાયા બાદ જ તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને સાથે જ સુરેશ રૈનાએ પણ ધોનીની સાથે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.