દેશમાં ૮ કરોડ દૈનિક મજૂર પાસે કામ નથી

પ્રતિકાત્મક
લોકડાઉનને કારણે ૧૦ કરોડ બાળકો મધ્યાહન ભોજનથી પણ વંચિત
બાળ રસીકરણમાં પણ ૬૪ ટકાનો ઘટાડો થયોઃ ઓવૈસી
હૈદરાબાદ, એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે એનડીએ સરકાર રોજગાર સંકટ અને દેશમાં કોવિડ-૧૯ રોગચાળા (કોરોના વાયરસ)ને કારણે થતાં વિપરીત પ્રભાવ સાથે સંકળાયેલી દેખાતી નથી. તેમણે કહ્યું કે દેશમાં ૧.૮ કરોડથી વધુ લોકોને પગાર મળી રહ્યો નથી અને ૮ કરોડ દૈનિક મજૂર પાસે કામ નથી.
એઆઇએમઆઇએમ નેતાએ શનિવારે રાત્રે અહીં વર્ચુઅલ જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું, ‘અહેવાલ છે કે લોકડાઉનને કારણે ૧૦ કરોડ બાળકો મધ્યાહન ભોજનથી પણ વંચિત છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે લોકડાઉન કરવાની યોજના બિનઆયોજિત, ગેરબંધારણીય રીતને કારણે દેશમાં આવી સ્થિતિ ઉભી થઈ છે.
તેમણે આરોપ લગાવ્યો કે બાળ રસીકરણમાં પણ ૬૪ ટકાનો ઘટાડો થયો છે અને લોકડાઉન દરમિયાન ૧૦ લાખ બાળકોને રસી આપવામાં આવી નથી. ઓવૈસીએ જણાવ્યું હતું કે કોવિડ -૧૯ રોગચાળા પછી છ લાખ બાળકોને પોલિયોની દવા આપી શકાતી નથી.
તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશની સરહદ પર ચીની ઘુસણખોરી અંગે ચિંતિત નથી. ઓવૈસીએ તેમના સમર્થકોને વિનંતી કરી હતી કે તેઓ કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન દરેકની મદદ કરે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. ૨૦૧૯માં પેટા ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી કિશનગંજ વિધાનસભા બેઠક એઆઈઆઈએમએમે જીતી હતી.