Western Times News

Gujarati News

ખોટી દોડમાં દેશ આગળ, કોરોના સંક્રમણના આંકડા હોય કે GDPમાં ઘટાડો : રાહુલ ગાંધી

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમણે સોમવારે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર દેશને સંકટમાં તો પહોંચાડી દે છે પરંતુ સમસ્યાના સમાધાનની તેમની પાસે કોઈ યોજના હોતી નથી. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ સરકાર સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવાના બદલે ખોટી દોડમાં સામેલ થઈ જાય છે અને ખોટી રીતે પોતાની સિદ્ધિઓ ગણાવવા લાગે છે. કોરોના મહામારી અને વસ્તુ તથા સેવા કર-જીએસટીમાં પણ તેઓ આ જ કરી રહી છે.  કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને કહ્યુ કે મોદી સરકાર દેશને સંકટમાં પહોંચાડીને સમાધાન શોધવાના બદલે શાહમૃગ બની જાય છે. દરેક ખોટી દોડમાં દેશ આગળ છે, કોરોના સંક્રમણના આંકડા હોય કે જીડીપીમાં ઘટાડો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.