Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૨૬૩ કેસ નોંધાયા

Files Photo

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા ૨૬૩ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૨૭૧ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૫૯,૬૫૫ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં ૩૫૫ કેન્દ્રો પર ૫,૨૯૩ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ ૮,૦૧,૯૧૨ વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જાે કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જાેવા નથી મળી.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૭.૭૦ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જાે કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે.

તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ ૧૧ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧,૬૯૯ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૩૦ છે. જ્યારે ૧,૬૬૯ લોકો સ્ટેબલ છે. ૨,૫૯,૬૫૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૪૦૨ લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૦૧ વ્યક્તિનું મોત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.