Western Times News

Gujarati News

૬ મહિના પછી પણ કંગનાની ઓફિસની હાલત યથાવત

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોટ તેની મુંબઈ સ્થિત ઓફિસ મણિકર્ણિકા પહોંચી હતી, જે ગત વર્ષ ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં બીએમસીએ તોડી દીધી હતી. હવે કંગનાએ તેની ઓફિસના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં જાેઈ શકાય છે કે ૬ મહિના પછી પણ ઓફિસની હાલત હજુ બદલાઈ નથી. ત્યારે કંગના રનોટે કહ્યું કે હવે તેનું દિલ ફરી એકવખત તૂટી ગયું છે. કંગના રનોટે તેના ટિ્‌વટર હેન્ડલ પરથી પોતાની ઓફિસના આ ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.

આ સાથે જ કંગનાએ લખ્યું કે ;હું મારા ઘરે મીટિંગ્સ કરી રહી છું, અક્ષત રનોટ કે જેણે મારી સાથે મણિકર્ણિકા ફિલ્મ્સની સ્થાપના કરી તે મારા પર થયેલા તમામ ૭૦૦ કેસ એકલો હેન્ડલ કરી રહ્યો છે. આજે તેણે ઓફિસમાં મીટિંગ કરવા માટે જણાવ્યું, હું આ માટે તૈયાર નહોતી અને મારું દિલ ફરી તૂટી ગયું છે. અહીં નોંધનીય છે કે તારીખ ૯ સપ્ટેમ્બરે મુંબઈમાં કંગના રનોટની ઓફિસને ગેરકાયદેરીતે તૈયાર થયેલી હોવાનું જણાવીને બીએમસીએ ત્યાં તોડફોડ કરી હતી.

કંગના રનોટ આ મુદ્દે હાઈકોર્ટ ગઈ હતી અને પછી તે દિવસે હાઈકોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. કંગના રનોટની આ ઓફિસ તેનું સપનું હતું અને તેણે રૂપિયા ૪૮ કરોડમાં તે ખરીદી હતી. આ ઓફિસ લીધા પછી કંગનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આટલી મોંઘી ઓફિસ ખરીદવા માટે ઘરવાળા તૈયાર નહોતા પણ મેં મારા મનની વાત સાંભળી હતી. જાે કંગના રનોટના વર્કફ્રંટની વાત કરીએ તો હવે તે તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે. જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’માં જાેવા મળશે. આ સિવાય તેની આગામી ફિલ્મોમાં ‘ધાકડ’નો પણ સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.