Western Times News

Gujarati News

પ્રશાંત કિશોર ગુજરાતમાં કાૅંગ્રેસ માટે કામ કરશે

નવીદિલ્હી: પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહનો હાથ પકડ્યા બાદ હવે જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ગુજરાતમાં કાૅંગ્રેસ માટે કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કાૅંગ્રેસને જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કાૅંગ્રેસની રણનીતિ સંભાળવાની જવાબદારી નિભાવ્યા બાદ પ્રશાંત કિશોર ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કાૅંગ્રેસ માટે કામ કરી શકે છે. સૂત્રોની જાણકારી મુજબ પ્રશાંત કિશોર આ મામલે ગુજરાત કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના કેંદ્રીય નેતૃત્વના સંપર્કમાં છે અને વાતચીત અંતિમ તબક્કામાં છે.

સૂત્રો મુજબ, જાે આમ થશે તો અને કાૅંગ્રેસ પ્રશાંત કિશોરના મેનેજમેન્ટામાં ૨૦૨૨ ગુજરાત વિધાનસભામાં સારૂ પ્રદર્શન કરે છે, તો તેની સીધી ૨૦૨૪ લોકસભા ચૂંટણી પર પડી શકે છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કાૅંગ્રેસ(ટીએમસી) અને તમિલનાડુમાં ડીએમકેનું કામકાજ સંભાળી રહી છે. આ પહેલા પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી માટે કામ કરી ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.