Western Times News

Gujarati News

શહેરમાં ૬૦ કે તેથી વધુ વયના એક લાખ ચાલીસ હજાર લોકોએ કોરોના વેક્સિન લીધી

Files Photo

ત્રણ લાખ નાગરિકોએ રસી લીધી : હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કર બીજાે ડોઝ લેવામાં બેદરકાર

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: રાજયમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ છે. અમદાવાદ અને સુરત શહેરમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાના ચુસ્ત અમલ માટે સ્થાનિક કક્ષાએ પુરતા પ્રયાસ થઈ રહયા છે સાથે- સાથે કોરોના રસી આપવાની કામગીરી પણ ચાલી રહી છે એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં ત્રણ લાખ જેટલા નાગરીકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી લગભગ પ૦ ટકા ડોઝ સીનીયર સીટીઝન્સને આપવામાં આવ્યા છે.

શહેરમાં કોરોના રસીકરણની પ્રક્રિયા પુરજાેશથી ચાલી રહી છે મ્યુનિ. કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ રસી માટે કોરોના હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારબાદ ૬૦ કે તેથી વધુ વય ધરાવતા નાગરીકો અને ૪પ વર્ષથી વધુ વયની સાથે સાથે અન્ય બિમારી હોય તેમને પણ રસી આપવામાં આવે છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ અમદાવાદમાં ૭૮૦પ૯ હજાર હેલ્થકેર વર્કરોને રસી આપવામાં આવી છે.

જે પૈકી ૩પ હજારને બીજાે ડોઝ પણ આપવામાં આવ્યો છે. જયારે અંદાજે ૪૦૯૮૯ હજાર ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. જે પૈકી ૧૩ હજાર ફ્રન્ટલાઈન વર્કરો બીજાે ડોઝ પણ લઈ ચુકયા છે. શહેરના ૧૪૩૬૩૭ હજાર સીનીયર સીટીઝન્સને (૬૦કે તેથી વધુ વય) કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જયારે ૪પ વર્ષથી વધુ વયના કો-મોર્બિડ કહી શકાય તેવા ૧૯૦ર૪ દર્દીઓને પણ રસી આપવામાં આવી છે. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ર૮ હજાર કર્મચારીઓને પણ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજય સરકારે ખાનગી હોસ્પિટલમાં રસી માટે રૂા.રપ૦ ના ભાવ નકકી કર્યા છે તેમ છતાં નાગરીકો મોટી સંખ્યામાં રસી મુકાવી રહયા છે.

અત્રે નોંધનીય છે કે વેકસીન લેવાની બાબતમાં સીનીયર સીટીઝન્સ અગ્રેસર સાબિત થયા છે તથા શહેરમાં અંદાજે ત્રણ લાખ લોકોને રસી આપવામાં આવી છે તે પૈકી પ૦ ટકા રસી સીનીયર સીટીઝન્સ દ્વારા લેવામાં આવી છે આ આંકડા ખરેખર પ્રશંસનીય છે. જાેકે નિરાશાજનક બાબત એ છે કે સરકાર તરફથી હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોને સૌ પ્રથમ રસી આપવામાં આવી હતી

પરંતુ બીજાે ડોઝ લેવામાં આ લોકો બેદરકાર સાબિત થયા છે. રસીકરણની શરૂઆત કરતા પહેલા તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે કરવામાં આવ્યો હતો જેમાં પ૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરીકો અને ૪૦ કે તેથી વધુ વયના કો-મોર્બિડ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા પરંતુ વેકસીન પ્રક્રિયા શરૂ થયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.