Western Times News

Gujarati News

સુરતમાં ભયાનક સ્થિતિ, સ્મશાનમાં ૮ કલાકનું વેઇટિંગ

સુરત: સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર લાગી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. મૃતદેહોની અંતિમવિધિ માટે લાંબી કતારો જાેઈને કોઈને પણ ડર બેસી જાય તેમ છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. શહેરમાં પાલિકા તંત્ર દ્વારા અપાતા મોતના આંક અને સ્મશાનગુહના આંકમાં મોટા ફેરફાર સ્મશાન ગૃહ સાથે જાેડાયેલા સૂત્રોનું કહેવું છે.

આરોગ્ય તંત્ર કોરોના સામેના જંગમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે આ જીવલેણ રોગના પ્રતિદિન જાહેર થતાં સરકારી આંકડાઓ તેમજ શહેરની વાસ્તવિક પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફેર હોવાની હકીકત સામે આવી છે.જયારે બીજી તરફ સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયો કોઈને પણ વિચલીત કરી શકે છે. હાલમાં સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ખુબ લાંબી લાઈન લાગી હોવાનો એક વીડિયો સામે આવી રહ્યો છે. મૃતદેહોની અંતિમવિધિ કરવાં માટે લાંબી લાઈનોને જાેઈ કોઈપણ વ્યક્તિને ભય લાગી જશે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો છે. સમગ્ર શહેરમાં પાલિકા તંત્રએ આપેલ મોતના આંકડા તેમજ સ્મશાનગુહના આંકડામાં ફેરફાર સ્મશાન ગૃહની સાથે જાેડાયેલ છે. સમગ્ર શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે.જયારે હવે હાલમાં સ્મશાનભૂમિ પણ મૃતદેહોથી ભરચક થઇ ચૂકી છે. કોરોનાથી દર્દીઓના મોતનો સત્તાવાર દૈનિક આંકડો ફક્ત ૫ જેટલા જાહેર કરવામાં આવ્યો છે

જયારે બીજી બાજુ શહેરી વિસ્તારની અલગ-અલગ સ્મશાન ભૂમિઓમાં દરરોજ કુલ ૭૫થી પણ વધારે દર્દીઓના અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ રહ્યાં હોવાની ખુબ ભયંકર સ્થિતિ છે.સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં દર્દીઓ કતારમાં બેઠા છે તો, હવે સ્મશાનમાં પણ કોવિડ પ્રોટોકલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહોની લાઇન લાગી છે. વિતેલા ૩ અઠવાડિયાથી કોરોનાની પરિસ્થિતિ પુનઃ ભયાવહ થઇ ચૂકી છે. તેમાં પણ છેલ્લા ૪-૫ દિવસથી જાહેર આરોગ્યનો જાણે દાટ વળી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.