Western Times News

Gujarati News

કોરોનાને કારણે હવે મધ્યપ્રદેશમાં પણ વીકેન્ડ લોકડાઉન જાહેર

ભોપાલ: મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, શુક્રવારે સાંજે ૬ થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યનાં તમામ શહેરોમાં લોકડાઉન રહેશે. આ સિવાય ભવિષ્યમાં કેટલીક વધુ કડક કાર્યવાહીનો અમલ પણ થઈ શકે છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, કટોકટી મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ અન્ય શહેરોની સરખામણીમાં કેસોની ગતિ વધારે છે તેવા શહેરો અંગે ર્નિણય લેવામાં આવશે.

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોવિડ-૧૯ કેસમાં ઝડપી વધારાને કારણે ૮ એપ્રિલથી રાજ્યનાં તમામ શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્‌યુ લાગુ કરવાની ઘોષણા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યની તમામ સરકારી કચેરીઓ આગામી ત્રણ મહિનામાં અઠવાડિયાનાં માત્ર પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) કાર્યરત રહેશે.

શિવરાજસિંહ ચૌહાણે ટિ્‌વટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે, ‘કોવિડ-૧૯ નાં વધતા જતા સંક્રમણને રોકવા માટે આજે મીટિંગમાં કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયાનાં ૫ દિવસ (સોમવારથી શુક્રવાર), આગામી ૩ મહિના માટે સવારે ૧૦ થી સાંજનાં ૬ વાગ્યા સુધી કાર્યરત રહેશે. તે શનિવાર-રવિવારે બંધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.