Western Times News

Gujarati News

આતંકવાદી વિરોધી ભંડોળમાં ભારતે ૫ લાખ મિલિયન ડોલર આપ્યા

નવીદિલ્હી: આતંકવાદની સમસ્યા ખુબ જટિલ છે. તેને રોકવા માટે તમામ દેશો પ્રયત્ન કરી રહ્યાં છે. આતંકવાદ સામે લડવા માટે બનાવવામાં આવેલી સંયુકત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટ્રસ્ટમાં ભારતે ૫ લાખ મિલિયન ડોલર આપ્યા છે.
આ મામલે ભારતે કહ્યું હતું કે આતંકવાદની સમસ્યા સામે ઘણાબધા દેશો ઝઝુમી રહ્યાં છે. આતંકવાદની લડાઇને આગળ વધારવા માટે સંયુકત રાષ્ટ્ર કચેરી સાથે સહયોગ ચાલું રાખવા માંગે છે.

સંયુકત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા ટવીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, સંયુકત રાષ્ટ્રના અતંકવાદ વિરોધી ટ્રસ્ટ ફંડમાં ૫ લાખ ડોલરનું યોગદાન આપવાનું ભારતને ગર્વ છે. ભારતનું અત્યાર સુધી આતંકવાદ વિરોધી ફંડમાં કુલ ૧૦.૦૫ લાખ થઇ છે.
ભારત આતંકવાદ સામે લડવાના તેમના ઉદ્દેશને આગળ ચલાવવા માટે વિશેષ કાર્યક્રમો અને પ્રોજેકટ પર સંયુકત રાષ્ટ્રની ઓફિસ ઓન ટેરિરીઝમ સાથે સહયોગ ચાલું રાખવા મહત્વકાંક્ષી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.