Western Times News

Gujarati News

ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે ૧૦ ઓક્સીજન બેડ અને ૨૦ આઈસોલેસન બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ ચાલુ કરાઈ

શ્રી ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ, કૃષ્ણધામ, સોલાના શાંત અને સૌમ્ય વાતાવરણમાં ટ્રસ્ટ સંચાલિત શ્રી નિરામય તીર્થ આરોગ્ય સેવા મંદિર ખાતે ૧૦ ઓક્સીજન બેડ અને ૨૦ આઈસોલેસન બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલ છે.

જેમાં માઈલ્ડ તથા મોડરેટ ઇન્ફેકશન હોય તેવા દર્દીઓને દાખલ કરીને સંપૂર્ણ સારવાર કરવામાં આવશે.જરૂરિયાત મુજબ લેબ ટેસ્ટીંગ, ઓક્સિજન, સીટી સ્કેન, એક્સરે, દવાઓ તથા જમવા વગેરેની વ્યવસ્થા સાથે, તાલીમ બધ્ધ ડોકટરો તથા નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધીનો સતત લાભ મળતો રહેશે.

આ કોવિડ સેવા નોન- પ્રોફિટ ધોરણે સેવાકીય ભાવનાથી ગુણવત્તાસભર  જરૂરિયાતમંદ દર્દીઓને સારવારની વ્યવસ્થા મળે તે હેતુથી કરવામાં આવી છે. વધુ માહિતી માટે નીચેના  ફોન નં. પર સંપર્ક કરવો . ફોનનં. ૦૭૯-૨૭૬૬૧૭૭૫  (મો.)૭૮૬૧૦૦૫૭૪૪


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.