Western Times News

Gujarati News

જન્નત ઝુબેર છેલ્લાં બે વર્ષથી ટીવી સ્ક્રીનથી ખૂબ દૂર છે

૨૦૧૮માં ઓફ-એર થયેલી સીરિયલ તું આશિકી બાદ જન્નત ઝુબેર ટીવી સ્ક્રીનથી દૂર છે, આ પાછળનું કારણ તેણે જણાવ્યું

મુંબઈ: જન્નત ઝુબેર માત્ર ટીવી એક્ટ્રેસ જ નથી, તે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. ફુલવા અને ભારત કે વીર પુત્ર-મહારાણા પ્રતાપથી લઈને મ્યૂઝિક વીડિયોમાં કામ કરવા સુધી, જન્નતે નાની ઉંમરમાં જ ઘણી નામના મેળવી લીધી છે. પરંતુ ૨૦૧૮માં ઓફ-એર થયેલી સીરિયલ ‘તુ આશિકી’ બાદ તે ટીવીની સ્મોલ સ્ક્રીન પરથી ગાયબ જાેવા મળી રહી છે. જન્નત ઝુબેરે હાલમાં વાતચીત કરી હતી. જ્યારે તેને ટીવી સ્ક્રીનથી દૂર રહેવા અંગેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘તુ આશિકીની એક પ્રેસ કોન્ફરન્સમાં, મેં કહ્યું હતું કે આ મારો છેલ્લો ટીવી શો છે અને બાદમાં હું અન્ય કોઈ પ્રોજેક્ટ નહીં લઉ. મેં ટીવીમાંથી બ્રેક લીધો છે,

જે મારા માટે ખૂબ જરુરી છે. બાળપણથી હું ટીવી શો કરી રહી છું અને મારે તે મોનોટોની તોડવાની જરૂર હતી. ટીવી સ્ક્રીન પરથી બ્રેક લેવાના પોતાના ર્નિણય અંગે વધુ વાત કરતાં તેણે કહ્યું કે, ‘ટીવી શો માટે કામ કરવું તે જાેઈએ એટલું સરળ નથી. અનિયમિત શિડ્યૂલથી લઈને કલાકો સુધી શૂટિંગ, તમને તમારા માટે એક મિનિટ પણ મળતી નથી. હું અન્ય કઈક પણ કરવા ઈચ્છતી હતી અને પરિવાર સાથે પણ સમય પસાર કરવા માગતી હતી. હું અત્યારે ખૂબ જ ખુશ છું કારણ કે, મને ઘણું બધું શીખવા મળી રહ્યું છે.

આ સિવાય પોતાના પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. ટીવીની નાનકડી સ્ક્રીન પર તું પાછી ક્યારે ફરીશ? તેમ પૂછતાં તેણે કહ્યું કે, ‘હું ક્યારેય એક્ટિંગથી કંટાળી શકું નહીં, પરંતુ હાલ તો મારા માટે બ્રેક જરૂરી છે અને પ્રામાણિકતાથી કહું તો, આ કેટલું લાંબુ ચાલશે તે મને પણ ખબર નથી. ૧૯ વર્ષની જન્નત ઝુબેર હાલ દુબઈમાં છે અને પરિવાર સાથે રમઝાન મનાવી રહી છે. ‘પરિવાર સાથે દુબઈમાં રમઝાન કરવી તે અલગ અનુભવ છે. એકવાર અમે ક્યાંક જઈ રહ્યા હતા અને ઈફ્તારનો સમય થઈ ગયો હતો. તો કોઈએ અમારી કાર રોકી હતી અને ઈફ્તાર માટે ભોજન આપ્યું હતું. તે ખૂબ જ હૃદયસ્પર્શી હતું અને જે વ્યક્તિ લોકો માટે આટલું કરી રહ્યા હતા તેમને હુંફાળા વાઈબ્સને ક્યારેય નહીં ભૂલું’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.