Western Times News

Gujarati News

નીટ બાદ ગુજસેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ શકે છે

Files Photo

અમદાવાદ: ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે રાજ્ય સરકાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું વેઈટેજ વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી કોર્સની કોલેજમાં એડમિશન લેવા માટે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના પરિણામ કરતાં વધુ વેઈટેજ ગુજસેટના પરિણામને આપવાની વિચારણા ચાલી રહી છે. આ યોજનાનું કારણ એ જ છે કે, હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય. દર વર્ષે કોલેજ એડમિશનના મેરિટ લિસ્ટમાં ૪૦% વેઈટેજ વિદ્યાર્થીએ ગુજસેટમાં મેળવેલા પર્સન્ટાઈલનું હોય છે, જ્યારે ૬૦% વેઈટેજ ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષામાં મેળવેલા પર્સન્ટાઈલનું રાખવામાં આવે છે.

જાેકે, આ વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગનું આયોજન ૬૦% વેઈટેજ ગુજસેટને આપવાનું અને ૪૦% વેઈટેજ ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના પરિણામને આપવાનું છે, તેમ શિક્ષણ વિભાગમાં રહેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નીટની પરીક્ષાની તારીખો જાહેર થયાના થોડા દિવસ બાદ ગુજસેટની પરીક્ષાની તારીખો જાહેર થઈ શકે છે. એડમિશન માટે ગુજસેટના વેઈટેજનો ચોક્કસ આંકડો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ-ચાન્સેલર કમલેશ જાેષીપુરાએ જણાવ્યું કે, ગુજસેટનું વેઈટેજ વધારવાની ચોક્કસ જરૂર છે,

જેથી હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય. મહત્વનું છે કે, કમલેશ જાેષીપુરા માસ પ્રમોશન આપ્યા બાદ ઊભા થયેલા પ્રશ્નો અને તેનું મૈત્રીપૂર્ણ સમાધાન કરવા તેમજ ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવા નિમાયેલી કમિટીના સભ્ય પણ છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કહ્યું, તાજેતરમાં યુનિવર્સિટીના ચાન્સેલરો અને રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં ગુજસેટને ૬૦% વેઈટેજ આપવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.

જણાવી દઈએ કે, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસી કોર્સની ગુજરાતભરની સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય કક્ષાએ દર વર્ષે આ પરીક્ષા યોજવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.