Western Times News

Gujarati News

વરસાદની સીઝનમાં શરદી જેવું લાગે એટલે તરત જ આ શરૂ કરી દો

પ્રતિકાત્મક

ઋતુ બદલાઈ રહી છે. ચોમાસું જામી ગયું છે. હવે તબિયત નરમગરમ રહેવાની ફરિયાદો એકદમ વધી જશે. તાવ-શરદી- કળતર- કફની સાથે આ એક બીમારીથી ખાસ બચવું- સાઈનસ.

સાઈનસ અથવા તો સાઈનસાઈટિસ દર્દોની દુનિયામાં સૌથી સામાન્ય ક્રોનિક બીમારીઓમાંની એક ગણાય છે. સાઈનસ, સાદી શરદી અને એલર્જી- આ ત્રણેયના લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂરી છે.

સૌથી પહેલા તો, સાઈનસ એટલે શું ? સાઈનસીસ એટલે નાકના છિદ્રની અંદર, ફરતે આવેલા હવાયુક્ત એકમો. સાઈનસની હરોળ નાકની અંતઃત્વચાનું પાતળું આવરણ ઘડે છે, જેના લીધે નાકના અંદરનો ભાગ ભેજવાળો રહે છે. જાે સાઈનસનું વહન કરતી નલિકાઓ જામી જાય તો નાકમાંથી નીકળતો ઝરતો ઉત્સર્ગ પદાર્થ જમા થતો રહે છે અને ઘટ્ટ બને છે. આવા માહોલમાં બેકટેરિયાની વૃદ્ધિ ફટાફટ થાય છે. અને સાઈનસનું ઈન્ફેકશન લાગવાની શરૂઆત થાય છે.

શરદી જેવું લાગે એટલે તરત જ નીચેના પગલાં લેવાનું શરૂ કરી દો.
– નાકની અંતઃત્વચા પાતળી જ રહે તે માટે રોજ કમ સે કમ છથી આઠ ગ્લાસ પાણી પીઓ.
– નેઝલ સેલાઈન વોશ કે સ્પ્રેનો ઉપયોગ કરો.
– સંભાળીને છીંકો. છીંકીને એક નસકોરામાં જમા થયેલુ ઘટ્ટ પ્રવાહી દૂર કરતી વખતે બીજા નસકોરા પર હાથ દાબી રાખો. આવું વારાફરતી કરવું.
– પાણી ફળફળતું ઉકાળીને નાસ લેવાનું શરૂ કરી દો.
મહેરબાની કરીને ડોકટર પાસે એન્ટિબાયોટિક ગોળીઓ લખાવવા દોડી ન જતા. હમણાં સુધી એવું બનતું કે નાકમાં સહેજ પણ ગરબડ થાય એટલે લોકો માની જ લેતા કે એમને સાઈનસ થયું છે ! પણ હવે ધીમે ધીમે જાગૃતિ વધી રહી છે. યાદ રાખો, તમને શરદી થઈ હશે તો એન્ટિબાયોટિકથી કોઈ ફરક નહીં પડે. એન્ટિબાયોટિક બેકટેરિયાનો મુકાબલો કરી શકે. વાઈરસનો નહી.

તો પછી ડોકટર પાસે ક્યારે જવું ?
જાે તમને સાઈનસના નીચેના ચિહનોમાંથી કમ સે કમ ત્રણ લક્ષણો અઠવાડિયા સુધી વર્તાય અને તે ઉત્તરોત્તર તીવ્ર બનતા જાય તો ડોકટરનો સંપર્ક સાંધવો.
૧. નાક જામ રહેવાની અવસ્થા ઉત્તરોતર લંબાતી જાય. ર. નાકમાંથી નીકળુ ઘટ્ટ પ્રવાહી (સાદી ભાષામાં કહીએ તો, શેડાં) પીળાશ પડતું લીલા રંગનું થવા માંડે. ૩. આંખ, હડપચી, કાન અને ઉપરના દાંત દુખવા લાગે. ૪. માથાનો દુખાવો (ખાસ કરીને કપાળમાં કે આંખોની આસપાસ) પ. તાવ ૬. કફ ડોકટર તપાસનીે નિદાન કરશે કે તમને સાઈનસનું ઈન્ફેકશન છે કે નહીં. જાે હશે તો એને દૂર કરવા તેઓ તમને એન્ટિબાયોટિક લખી આપશે.

હઠીલુ સાઈનસ
જાે ટ્રીટમેન્ટ ચાલુ હોવા છતાંય સાઈનસ ત્રણ અઠવાડિયા સુધી ટકે તો એ પેધી જવાની મતલબ કે એકયુટ બની જવાની પુરી શકયતા રહે છે. વૃદ્ધ માણસોને એક્યુટ સાઈનસ થવાનું જાેખમ વધારે રહે છે.

ડોકટર સાઈનસ માટે ટ્રીટમેન્ટ શરૂ કરે ત્યારે દવાનો કોર્સ પૂરો કરવાની ખાસ તકેદારી લેવી. નહીંતર બેકટેરિયા વિકસતા જશે અને દવાની અસર નહી થાય. એકેડેમી ઓફ ઓટોલેરીન્જાેલોજીના અંદાજ પ્રમાણે. ૪૦ ટકા દર્દીઓ તબિયત સારી લાગવા માંડે એટલે દવાનો કોર્સ અધવચ્ચે જ, મોટેભાગે બેથી ચાર દિવસમાં જ અટકાવી દેતા હોય છે. આ દર્દીઓ માટે સાઈનસ ફરી ઉથલો મારે એ શક્યતા વધી જાય છે.

સાઈનસ સંબંધિત અન્ય પરિબળો પર અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. આ પરિબળો એટલે અસ્થમા, એલર્જી, સિગારેટના ધુમાડા જેવા ઈરિટન્ટસ વગેરે શરાબથી સોજાે વધી શકે છે. આથી સાઈનસના દર્દીઓએ શરાબ સામે તો નજર પણ નહીં કરવાની. લાંબી ટ્રીટમેન્ટ પછી સાઈનસ ઘટે નહીં તો સર્જરી કરીને નાકની બીમારી માંસપેશીને દૂર કરવી પડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.