Western Times News

Gujarati News

કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડને કારણે અમદાવાદથી જતી કેટલીક ટ્રેનો રદ

કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેંટ થવાને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

 રદ થયેલી ટ્રેનો-

1.      ટ્રેન નંબર 02297 અમદાવાદ-પુણે સ્પેશિયલ 25 થી 27 જુલાઈ 2021 સુધી રદ રહેશે.

2.       ટ્રેન નંબર 02298 પુણે – અમદાવાદ સ્પેશિયલ 24 થી 26 જુલાઈ 2021 સુધી રદ રહેશે.

3.       ટ્રેન નંબર 02907 મડગાંવ – હાપા સ્પેશિયલ 23 જુલાઈ 2021 ના રોજ રદ રહેશે.

4.       ટ્રેન નંબર 06337 ઓખા – એર્નાકુલમ સ્પેશિયલ 24 જુલાઈ 2021 ના રોજ રદ રહેશે.

5.      24 જુલાઈ 2021 ના ​​રોજ કોલ્હાપુરથી ચાલતી  ટ્રેન નંબર 01050 છત્રપતિ શાહુ મહારાજ ટર્મિનસ કોલ્હાપુર – અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

6.      25 જુલાઇ 2021 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 01049 અમદાવાદ – છત્રપતિ શાહુ મહારાજ ટર્મિનસ કોલ્હાપુર સ્પેશિયલ પેરીંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.

7.      ટ્રેન નંબર 09494 પુરી-ગાંધીધામ સ્પેશિયલ 26 જુલાઈ અને 02 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે.

8.       ટ્રેન નંબર 09493 ગાંધીધામ – ​​પુરી સ્પેશિયલ 30 જુલાઇ અને 06 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે.

9.       ટ્રેન નંબર 09578 જામનગર – તિરુનેલવેલી સ્પેશિયલ 24 જુલાઇ 2021 ના રોજ રદ રહેશે.

 ડાયવર્ટ ટ્રેન

1.      23 જુલાઈ 2021 ના ​​રોજ અજમેરથી દોડતી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશિયલ વાયા પુના, દૌંડ, હોટગી, ગડગ અને હુબલી થઈને દોડશે.

2.       23 જુલાઈ 2021 ના ​​રોજ તિરુચિરાપલ્લીથી દોડતી ટ્રેન નંબર 02498 તિરુચિરાપલ્લી – શ્રી ગંગાનગર સ્પેશિયલ વાયા હુબલી, ગડગ, હોટગી, દૌંડ અને પુણે થઈને દોડશે.

3.      23 જુલાઈ 2021 ના ​​રોજ  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર – અજમેર સ્પેશિયલ વાયા ગડગ, હોટગી, દૌંડ અને પુણે થઈને દોડશે.

4.      23 જુલાઇ 2021 ના રોજ ટ્રેન નંબર 06335 ગાંધીધામ – નાગરકોઇલ સ્પેશિયલ  વાયા સુરત, જલગાંવ, બલ્લારશાહ, ગુડુર અને શોરાનુર થઈને દોડશે.

5.      23 જુલાઇ 2021 ના ​​રોજ અજમેરથી દોડતી ટ્રેન નંબર 02978 અજમેર – એર્નાકુલમ સ્પેશિયલ વાયા સુરત, જલગાંવ, વર્ધા, બલ્લારશાહ, વિજયવાડા, ઇરોડ અને શોરાનુર થઈને દોડશે.

 રીસટોર્ડ ટ્રેન

●       23 જુલાઇ 2021 ના ​​રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 09578 જામનગર – તિરુનેલવેલી સ્પેશિયલ ફરીથી ચાલુ કરાઈ છે.  આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ઉપર દોડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.