Western Times News

Gujarati News

પૃથ્વી-સૂર્યકુમાર શ્રીલંકાની શ્રેણી છોડીને ઈંગ્લેન્ડ જશે

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરિઝનો ચાર ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે અને તે પહેલા ભારતીય ટીમમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

ટીમના ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ નવા ચહેરાઓને ટીમમાં સ્થાન મળ્યુ છે. શ્રીલંકામાં ટી-૨૦ સિરિઝ રમી રહેલા પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને આ સિરિઝ માટે તેડુ મોકલવામાં આવ્યુ છે. કારણકે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ઝડપી બોલર આવેશ ખાન અને ઓપનર શુભમન ગિલ ઈજાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.

સુંદરને આંગળીમાં અને આવેશ ખાનને અંગૂઠામાં ઈજા થઈ છે. જ્યારે શુભમન ગીલને પગમાં ઈજા પહોંચી છે. તેમના રિપ્લેસમેન્ટ તરીકે હવે સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોન મોકો મળ્યો છે. ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સિરિઝ રમવાની છે. જેની પહેલી મેચ ૪ ઓગસ્ટથી ટેન્ટ બ્રિજમાં શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.