Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં ફસાયેલા દરેક ભારતીય નાગરીકને કાબુલ એરપોર્ટ ખુલતા જ પરત લાવવામાં આવશે

નવીદિલ્હી, ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર ૧૧ઃ૧૫ કલાક આસપાસ પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી.

એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન ઝ્ર-૧૭ દ્વારા અફઘાનિસ્તાનથી ૧૫૦થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા હતા. સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો.
પ્રધાનમંત્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્‌સમાં કામ કરનારા કર્મીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ આશરે ૧૫૦થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.

વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્ય મંત્રી, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટર સૌરભ પારઘીએ કર્મચારીઓનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.આ તકે, પ્રાંત અધિકારી જામનગર શહેર આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ લ પાર્થ કોટડીયા, મામલતદાર અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાલિબાનના આંતકથી મુક્ત થઈને દેશમાં પહોચેલા ભારતીય રાજદૂતે કહ્યું કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતી ઝડપથી દબલાઈ રહી છે. આજે વાયુસેનાનું સી ૧૭ વિમાન કાબુલથી ગુજરાતમાં જામનગર ખાતે લેન્ડ થયું. જેમાં અઘફાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવ્યા હતા. આ પ્લેનમાં ભારતીય રાજદૂત રવેન્દ્ર ટંડન પણ હતા. મીડિયા સાથે વાતચીત કરતા રવિન્દ્ર ટંડને કહ્યું કે એવુ નથી કે અમે અફઘાનિસ્તાનમાં ભારતીયોને તેમના હાલ છોડી દીધા છે. તેમની સુરક્ષા અમારી જવાબદારી છે. તેમણે કહ્યું કે અમે સતત તે લોકોના સંપર્કમાં છે. સાથે જ તેમંણે કહ્યું કે વધારે ન બોલી શકું પરંતુ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતી ઝડપથી બદલાઈ રહી છે. રવિન્દ્ર ટંડને કહ્યું કે કાબુલ એરપોર્ટ જેવું ખુલશે કે એર ઈન્ડિયાની ફ્લાઈટો ત્યા ગોઠવવામાં આવશે.

એરપોર્ટની સ્થિતીને જાેતે ત્યા એરઈન્ડિયાની ફ્લાઈટો રદ કરવામાં આવી છે. જાેકે તેમણે એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે જે લોકો ત્યા ફસાયેલા છે તેમને કોઈ પણ સંજાેગોમાં ભારતમાં લાવવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો વિમાનોમાં બસની જેમ લટકી રહ્યા છે ત્યારે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે જેમાં એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.