Western Times News

Gujarati News

સ્તંભેશ્વર મહાદેવ દિવસમાં બે વાર પાણીમાં સમાઈ જાય છે

અમદાવાદ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આવામાં શિવમંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહિનો ખાસ કહેવાય છે.

આવામાં શ્રાવણ મહિનાના પાવન અવસરે ગુજરાતના એક એવા શિવ મંદિર વિશે જાણીએ, જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ રીતે ડૂબી જવાના અને બાદમાં થોડા કલાક બાદ ફરીથી પ્રકટ થવાની ઘટનાને જાેઈને લોકો અભિભૂત થઈ જાય છે.

આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાસે કાવી-કંબોઈ નામના ગામમાં આવેલું છે. આ પ્રાચીન મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને ભગવાન શિવના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તર ઘટવાની રાહ જાેવી પડે છે.

સમુદ્રમાં આવનાર ભરતી અને ઓટને કારણે દિવસમાં બે વાર આ મંદિર જળમાં સમાઈ જાય છે. થોડા કલાકો બાદ પાણી ઉતરતા શિવલિંગ ફરીથી નજર આવવા લાગે છે.

આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ પર બનાવાયેલુ છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી વિખ્યાત આ તીર્થધામ વિશે શ્રી મહાશિવપુરાણના રુદ્ર સંહિતામાં ઉલ્લેખ કરાયો છે. પુરાણોમાં ઉલ્લેખ કરાયા મુજબ આ મંદિર ભગવાન શિવના દીકરા કાર્તિકેયે બનાવ્યું હતું. શિવભક્ત તાડકાસુરનું વધ કર્યા બાદ કાર્તિકેય બહુ જ બેચેન હતા.

ત્યારે તેમણે પોતાના પિતાના કહેવા પર તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યુ હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ ૪ ફૂટ ઉંચુ અને ૨ ફૂટ પહોળુ છે. મંદિરની ચમત્કારિક ઘટના ઉપરાંત લોકો અહી અરબ સાગરનો સુંદર નજારો જાેવા પણ આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.