Western Times News

Gujarati News

પુલવામામાં દળો સાથેની અથડામણમાં ૩ આતંકી ઠાર

પ્રતિકાત્મક

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી. સુરક્ષાદળોના જણાવ્યાં મુજબ આ દરમિયાન આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જાેડાયેલા ત્રણ આતંકીઓ ઠાર થયા છે. હજુ જાેકે તેમની ઓળખ થઈ નથી. આતંકીઓની હાજરીની બાતમી મળતા સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં નાગબેરાન ત્રાલ સ્થિત વન વિસ્તારમાં ખુબ ઊંચાઈવાળા વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું ત્યારબાદ અથડામણ શરૂ થઈ. તેમણે જણાવ્યું કે અથડામણ હજુ પણ ચાલુ છે.

દેશમાં આઝાદીનો તહેવાર શાંતિથી સંપન્ન થવા છતાં પાકિસ્તાનની નાપાક કરતૂતો ચાલુ છે. ૧૯ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે આતંકીઓ સાથે અથડામણમાં આર્મીના એક જૂનિયર કમિશન્ડ અધિકારી (જેસીઓ) શહીદ થયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ થાનામંડી વિસ્તારમાં આતંકીઓની હાજરીની બાતમી મળતા સર્ચ અભિયાન શરૂ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.