Western Times News

Gujarati News

બનાસકાંઠામાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

પાલનપુર, બનાસકાંઠામાં ૪.૩ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સેન્ટર વાવથી ૮૪ કિમી દૂર હોવાનું રાજસ્થાનના બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપમાં જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.

ભૂંકપના આંચકાથી લોકો ભયભીત બન્યા હતા. રાજ્યમાં અવારનવાર આવતા ભૂકંપનાં આંચકને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો આમતેમ દોડતા નજરે પડયા હતાં ગુરૂવારના રોજ ફરીથી બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ નોંધાઇ હતી, જેના આંચકા પાલનપુર સહિતનાં વિસ્તારોમાં અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ વાવથી ૮૪ કિમી દૂર રાજસ્થાનનું બાડમેર રહ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.