Western Times News

Gujarati News

ચાર બાળકોની માતાએ પ્રેમિ સાથે મળી પતિની હત્યા કરી

આરા, બિહારમાં પ્રેમમાં પાગલ ચાર બાળકોની માતાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. ચાલાક પત્નીએ પોલીસથી બચવા માટે અને પ્રેમી હોવાની ખબર છૂપાવવા માટે જબરજસ્ત પ્લાન બનાવ્યો હતો પરંતુ કહેવત છેને કે પાપ છાપરે ચઢીને પોકારે છે તેવું જ આ ઘટના પણ બન્યું છે. બિહારના આરામાં આવેલા બડહરામાં મંગળવારે રાત્રે બનેલી ઘટનામાં મહિલાએ તેના પ્રેમીને રાત્રે ૧૨ વાગ્યે ઘરમાં બોલાવીને તેનું ગળું દાબીને હત્યા કરી નાખી હતી.

આ ઘટનામાં પોલીસે પતિની હત્યાના ગુનામાં પત્નીની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા તેના પ્રેમી સહિત અન્ય વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.

વિવિધ રિપોર્ટ્‌સ મુજબ રાત્રે ૧૨ વાગ્યે જ્યારે પરિણીતા લાલસા દેવીએ ચોર.. ચોર.. એવી બૂમો પાડી તો ઘરમાં બધાની ઊંઘ ઉડી ગઈ હતી. મૃતક ગુડ્ડુ બિંદનો ભાઈ રામદુત કુમાર તેની પત્ની સાથે રૂમમાં સૂતો હતો અને તેણે તાત્કાલિક ચોરને શોધવા માટે દોડાદોડી કરી હતી. જાેકે, ઘરની બહાર કે આસપાસમાં કોઈ દેખાયું નહોતું. આ પછી કેટલાક ગ્રામજનો પણ ત્યાં પહોંચી ગયા હતા પરંતુ ચોરનો પત્તો લાગ્યો નહોતો. રામદુત તેના ભાઈના રૂમમાં ગયો તો તેણે જાેયું કે ગુડ્ડુ મૃત હાલતમાં પડ્યો હતો.

આ પછી ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાએ તેના પતિની હત્યા માટે ફુલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. જેના માટે તેણે પ્રેમીને પણ બોલાવી લીધો હતો. દરેક ગુનેગાર એક એવી ભૂલ કરી જ દેતો હોય છે કે જેના આધારે પોલીસ તેના સુધી પહોંચી જતી હોય છે. લાલસા દેવીએ પતિની હત્યા કરી તે કેસમાં પણ તેને લાગતું હતું કે બાળકો સૂઈ ગયા છે પરંતુ ખરેખર તેના બાળકો જાગતા હતા અને તેની આખી ચાલ ઉઘાડી પડી ગઈ હતી. હત્યાની ખબર મળતા લાલસા દેવીના ઘરે પોલીસ પહોંચી અને તપાસ કરી તો મહિલાએ ભરેલા પગલાનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકોએ કહેલી વાત જાણીને પોલીસની સાથે ગ્રામજનો અને ગુડ્ડુના ઘરના સભ્યોને પણ ભારે નવાઈ લાગી હતી.

મૃતક ગુડ્ડુ અને તેની હત્યા કરનારી લાલસા દેવીના બાળકોમાંથી બે બાળકોએ પોલીસને જણાવ્યું કે, માએ રાત્રે પિતાને બે વખત ચા પીવડાવી હતી. આ ચા પીધા પછી તેમને બેચેની જેવું લાગતું હતું અને તેઓ ધાબે ગયા ઘરમાં થોડું ફર્યા અને પછી રૂમમાં જઈને સૂઈ ગયા હતા. આ પછી રાત્રે બે લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા.

શરુઆતમાં પિતાની હત્યાની ઘટના જાેઈને ડરી ગયેલા બાળકોએ પોલીસને જાેઈને હિંમત કરી અને આખી ઘટના વિશે જણાવી દીધું હતું. સાક્ષી બનેલા બાળકોએ પોલીસને કહ્યું કે ચા પીધા પછી તેમના પિતાને ભાન નહોતું રહ્યું અને તેઓ સૂઈ ગયા હતા. આ પછી બે લોકો રૂમમાં ઘૂસ્યા હતા જેમાંથી એક પિતાની ગર્દન દબાવતો હતો. જ્યારે માએ પિતાના પગ પકડી રાખ્યા હતા. આ ઘટના જાેઈને બાળકો એટલા ડરી ગયા હતા કે તેમણે જાણે ભર ઊંઘમાં હોય તેવું નાટક કર્યું હતું.

લાલસા દેવીની ઓળખ અજીત કુમાર નામના શખ્સ સાથે થઈ હતી અને સમય જતા તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. પરંતુ ગુડ્ડુ પોતાના બાળકોના ભવિષ્ય અંગે વિચાર કરીને હસીખુશી પોતાનું જીવન જીવી રહ્યો હતો. આ વર્ષે જ્યારે લાલસા દેવી અને પતિ ગુડ્ડુનો ઝઘડો થયો ત્યારે તે બાળકોને લઈને પ્રેમી અજીતના ઘરે ચાલી ગઈ હતી. આ પછી સ્થાનિક ગામના વડીલોએ તેને સમજાવીને પાછી પતિના ઘરે મોકલી હતી. ગુડ્ડુ લોકોની સમજાવટ બાદ તેને હોળીના દિવસે ઘરે પરત લાવ્યો હતો. આ પછી બન્ને સારી રીતે રહેતા હતા.

પરિણીતાએ ભરેલા પગલાથી ઘરના સભ્યો સહિત ગ્રામજનોને ભારે આઘાત લાગ્યો છે. લાલસા દેવીની કરતૂતના લીધે તેના ૧૦, ૮, ૪ અને ૩ વર્ષના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. મૃતકની પત્ની અને બાળકોને સમજાતું નથી કે હવે તેમનું શું થશે? પોલીસે આ કેસમાં મહિલાના પ્રેમી અને અન્ય એક શખ્સની શોધખોળ શરુ કરી છે જ્યારે ગુડ્ડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરામાં આવેલી હોસ્પિટલમાં ખસેડાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.