Western Times News

Gujarati News

મોદીના જન્મદિનની ઉજવણીએ ૧૪ કરોડ રાશન બેગ વહેંચાશે

નવી દિલ્હી, પીએમ મોદીનો ૧૭ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે ત્યારે ભાજપે આ નિમિત્તે ત્રણ સપ્તાહ સુધી તેની ઉજવણી કરવાનુ નક્કી કર્યુ છે. જેના ભાગરુપે ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવશે.દેશમાં ૧૪ કરોડ રાશન બેગ વહેંચાશે તેમજ દેશભરમાંથી થેન્ક્યુ મોદીજી લખેલા પાંચ કરોડ પોસ્ટ કાર્ડ મોકલવામાં આવશે.

દેશમાં ૭૧ સ્થળોએ નદીઓની સફાઈ પણ કરવામાં આવશે સાથે સાથે સોશિયલ મીડિયા પર હાઈ પ્રોફાઈલ કેમ્પેન પણ હાથ ધરાશે.સરકારના કોરોના રસીકરણ અભિયાનને પણ પ્રોજેક્ટ કરવાનુ નક્કી કરાયુ છે.પીએમ મોદીના જીવન પર ભાજપ દ્વારા સેમિનારો યોજવાનુ પણ પ્લાનિંગ કરાયુ છે.

ગયા વર્ષે ભાજપે એક સપ્તાહ સુધી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.જાેકે આ વખતે ઉજવણીનો વ્યાપ વધારાશે અને ત્રણ સપ્તાહ સુધી ચાલનારા અભિયાનને સેવા અને સમર્પણ અભિયાન નામ અપાયુ છે.

૨૦૧૪ બાદ એમ પણ ભાજપના રાજકીય અભિયાનોમાં પીએમ મોદી જ કેન્દ્ર સ્થાને રહ્યા છે.ભાજપે હવે પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરીને લોકો સુધી પહોંચવાનુ નક્કી કર્યુ છે.૧૪ કરોડ રેશન બેગ પર પીએમ મોદીનો ફોટો હશે અને તેનાથી ભાજપ એવું સાબિત કરવા માગે છે કે, ગરીબો માટે વિચારતા એક માત્ર નેતા પીએમ મોદી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.