Western Times News

Gujarati News

પુલવામામાં પોલીસ પાર્ટી પર આતંકવાદીઓનો ગ્રેનેડ હુમલો

શ્રીનગર, જમ્મુ -કાશ્મીરના પુલવામાના મેઈન ચોકમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ આતંકી હુમલામાં ત્રણ નાગરિકો ઘાયલ થયા છે. આતંકી હુમલા બાદ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. આ સાથે જ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

માહિતી મુજબ જ્યારે પોલીસ પાર્ટી મેઈન ચોકમાં તૈનાત હતી ત્યારે છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલાની પકડમાં, ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં, સુરક્ષા દળોએ આતંકીઓની શોધમાં વિસ્તારને ઘેરી લીધો છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. હકીકતમાં, અત્યારે આતંકવાદીઓ જમ્મુ -કાશ્મીરની શાંતિ જાેઈને ગુસ્સે છે, જેના કારણે તેઓ હવે સુરક્ષા દળોને ગુપ્ત રીતે નિશાન બનાવી રહ્યા છે.

સેના સાથે સીધા હુમલામાં મોં ખાધા બાદ હવે આતંકવાદીઓ સૈનિકોને નુકસાન પહોંચાડવાના હેતુથી ગ્રેનેડથી હુમલો કરી રહ્યા છે. આ પહેલા ૧૩ સપ્ટેમ્બરના રોજ આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવતા શ્રીનગરમાં એનએચ-૪૪ પર રેતીની બોરીમાંથી ૬ ચીની ગ્રેનેડ મળી આવ્યા હતા. સીઆરપીએફ અનુસાર, આ બોરી દૈનિક કવાયત દરમિયાન ડિવાઇડર પાસે મળી આવી હતી. આ પહેલા આતંકીઓએ શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં એક પોલીસકર્મીને ગોળી મારી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.