Western Times News

Gujarati News

આડા સંબંધોમાં ઝઘડા થતાં મહીલાને નર્મદા કેનાલમાં ફેંકી હત્યા કરનાર દંપતી ઝડપાયું: મૃતક મહીલા સગા સાળાની પત્ની હતી

(પ્રતિનિધિ) અમદાવાદ,ગયા વર્ષે સાણંદ ખાતે કેનાલમાંથી એક મહીલાની હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવી હતી જે અંગે હત્યાનો ગુનો નોંધાયો હતો આ અંગે બાતમીને આધારે ક્રાઈમબ્રાંચે સાબરમતી વિસ્તારમાંથી હત્યારા દંપતીને ઝડપી લીધું છે પુછપરછમાં મૃતક સાથે અનૈતિક સંબંધો બાદ ઝઘડા થતા પત્નિએ હત્યા કરવામાં સાથ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઘટનાની વિગત એવી છે કે પીઆઈ એન.આર. બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે ગત વર્ષે નર્મદા કેનાલમાંથી કોમલબેન નામની મહીલાની લાશ મળી હતી જેની હત્યામાં સંડોવાયેલા અને નાસતા ફરતા હિતેન્દ્ર પ્રહલાદભાઈ પટેલ તથા તેમની પત્ની પુનીતાબેન પટેલ (બંને રહે. હાલ તપોવન સર્કલ નજીક, ગાંધીનગર, મુળ. શ્રધ્ધાકુંજ બંગલો, સોલા) સાબરમતી રામનગર ખાતે ઉભા છે જેના આધારે તેમણે ટીમ સાથે બંનેને ઝડપી લીધા હતા.

સાણંદ મર્ડર કેસમાં તેમની પુછપરછ કરતા બંનેએ કહયુ હતું કે મૃતક કોમલ હિતેન્દ્રના સગા સાળાની પત્ની હતી તેની સાથે પ્રેમસંબંધ બાદ બંને વર્ષ ર૦૧૯માં ભાગી ગયા હતા અને છ મહીના બાદ પરત ફરી હિતેન્દ્રએ પત્ની પુનિતાને પોતાની ભુલ થઈ હોવાનું જણાવ્યું હતું બાદમાં હિતેન્દ્રએ કોમલ અને પુનિતાબેને અલગ અલગ જગ્યાએ ભાડાનું ઘર લઈ બંને સાથે રહેતો હતો.

દરમિયાન કોમલ સાથે વારંવાર ઝઘડા થતાં તે અંગે પુનીતાબેનને જણાવી કોમલને મારી નાખવા ષડયંત્ર રચ્યુ હતું જે મુજબ કોમલની નજર ચુકવી ચા માં ઘેનની ગોળીઓ પીવડાવી તેને કારમાં ઝુંડાલ સર્કલ લઈ ગયો હતો જયાંથી પુનિતાબેન પણ કારમાં બેઠા હતા. બાદમાં કોમલના મોં પર બેગોન સ્પ્રે છાંટી તેને બેભાન બનાવીને હાથ પગ બાંધી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી બંનેની આ કબુલાતથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.