Western Times News

Gujarati News

હરિયાણાના મંત્રી અનિલ વિજે ખેડૂત આંદોલનને ગદર કહ્યું!

ચંડીગઢ, હરિયાણાના મંત્રી અનિલ વિજે ખેડૂત આંદોલન અંગે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ખેડૂતોના આંદોલનને આંદોલન કહી શકાય નહીં. લોકો તલવાર ન લાવે, લાકડીઓ ન વાપરે. અહીં આંદોલનમાં લોકોનો રસ્તો રોકે છે. તે ધરણા પર બેસે છે અને ભૂખ હડતાલ પર જાય છે. તેને વિરોધ ન કહી શકાય. તમે તેને ‘ગદર’ કહી શકો છો.

હરિયાણા અને પંજાબના ખેડૂતો લાંબા સમયથી મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ હરિયાણા, દિલ્હી અને યુપી સરહદો પર સતત આંદોલન કરી રહ્યા છે. આ ધરણા પ્રદર્શનને કારણે, રાજમાર્ગ અને શહેર દરરોજ જામ થઈ રહ્યું છે, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણા યુનાઇટેડ કિસાન મોરચાના ખેડૂત નેતાઓએ ખેડૂતોના આંદોલનને ઉગ્ર બનાવવા માટે નવી રણનીતિ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. કિસાન મોરચાના નેતાઓ દેશના ખેડૂત સંગઠનોને એકત્ર કરીને કેરળ, કર્ણાટકથી પ્રવાસ કરી રાલેગણ સિદ્ધિ પહોંચ્યા હતા.

ખેડૂત નેતા વિકાસ પચારે જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલન અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હજારેને મળવા ભારતભરમાંથી ૧૦૦ થી વધુ ખેડૂત સંગઠનો આવ્યા હતા. આ સાથે જ પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોએ પોતાનું આંદોલન રાજ્યમાંથી બહાર કરવુ જાેઈએ.

પરંતુ જ્યારે ચારે બાજુથી ટીકા થઈ ત્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સોમવારે તેમના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તમને જણાવી દઈએ કે કેપ્ટને કહ્યું હતું કે ખેડૂતોએ પંજાબને બદલે દિલ્હી અને હરિયાણામાં કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવો જાેઈએ. અમરિંદર સિંહે કહ્યું કે તે અને તેમની સરકાર સતત ખેડૂતોની સાથે ઉભા છે અને તેમના દ્રષ્ટિકોણને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.