Western Times News

Gujarati News

મુંબઈમાં આતંકી હુમલાનુ જોખમ: એલર્ટ જારી

પ્રતિકાત્મક

મુંબઈ, તાજેતરમાં જ દિલ્હી સ્પેશ્યલ સેલે 6 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી મુંબઈના ધારાવી વિસ્તારના રહેવાસી છે. દિલ્હી સ્પેશ્યલ સેલના સૂત્રો અનુસાર ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકી મુંબઈની લોકલ ટ્રેન સહિત દેશના અલગ-અલગ વિસ્તારમાં આતંકી ષડયંત્રને અંજામ આપવા ઈચ્છતા હતા. સૂત્રોએ એ પણ જણાવ્યુ કે રેલવે પોલીસ એટલે કે જીઆરપીને એજન્સીઓ સંભવિત આતંકી હુમલાની જાણકારી મળી હતી.

હવે ખાનગી એજન્સીઓએ જીઆરપીને ચેતવણી આપી છે કે આતંકી ટ્રેનમાં ગેસ એટેક અથવા પ્લેટફોર્મ પર થનારી યાત્રીઓની ભીડને ગાડીથી કચડી શકે છે. સૂત્રો અનુસાર આતંકીઓ સાથે પૂછપરછ દરમિયાન દિલ્હી સ્પેશ્યલ સેલને મળતી જાણકારી સિવાય જીઆરપીને આ પ્રકારના કેટલાક એલર્ટ કેટલીક એજન્સીઓ પાસેથી મળ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અમને વારંવાર આ પ્રકારના એલર્ટ મળ્યા કરે છે. ખાસ કરીને લોકલ ટ્રેન માટે અને અમે દરેક એલર્ટને ઘણી ગંભીરતાથી લઈએ છીએ અને યાત્રીઓની સુરક્ષા માટે અમે આ પ્રકારના પગલા પણ ઉઠાવીએ છીએ. દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ જીઆરપીએ મુંબઈના તમામ મોટા રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દીધી છે અને કેટલીક એન્ટ્રી અને એગ્ઝિટના રસ્તા પણ બંધ કરી દેવાયા છે.

જીઆરપીએ લાઈવ મોકડ્રિલ કરવાનુ શરૂ કરી દીધુ છે. જેમાં અધિકારીને એ શીખવા મળે છે કે આતંકી હુમલા દરમિયાન કેવી રીતે મુસાફરને બચાવી શકાય અને તેમને કેવી રીતે પકડવાના છે. જીઆરપીએ રેલવે સ્ટેશન પર પોલીસ તૈનાત કરી છે અને જીઆરપી નેશનલ સિક્યોરિટી ગાર્ડ સહિત બીજી એજન્સીઓના પણ સંપર્કમાં છે.

જીઆરપી કમિશ્નર કૈસર ખાલિદે આદેશ આપ્યો છે કે રેલવે સ્ટેશન પર દરેક સમયે પોલીસની હાજરી જોવા મળવી જોઈએ. આ સિવાય સમય સમય પર લાર બોમ્બ અને ડૉગ સ્કોડનું પણ પેટ્રોલિંગ થતુ રહેવુ જોઈએ જેથી કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિ સામે ઉકેલ મેળવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.