Western Times News

Gujarati News

અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ગરકાવ થતા એક વાહન ચાલકે જીવ ગુમાવ્યો

અમદાવાદ, અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ ખરાબ રસ્તાના કારણે લોકોને હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રસ્તા પર ખાડા છે અને બીજી તરફ તેમા પાણી ભરાયું છે. પાણીના કારણે રાહદારીઓને ખાડા ન દેખાતા અકસ્માતની ઘટના બને છે.

ત્યારે અમદાવાદમાં વરસાદથી ભરાયેલા પાણીના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. અંડરપાસના પાણીમાં ગરકાવ થતા રાહદારીનું મોત થયું હતું, ફાયર વિભાગની ટીમ દ્વારા રાહદારીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારની છે. સરખેજ વિસ્તારમાં આવેલા વણકરવાસ નજીક અંડરપાસમાંથી એક વાહન ચાલક પસાર થઇ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.