Western Times News

Gujarati News

અમદાવાદના પ૩ નવજાત શીશુઓ ડેન્ગયુની ઝપટમાં: બે વર્ષના બાળકનું મૃત્યુ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ડેન્ગયુ અને ચીકનગુનિયાના રોગચાળાનો આતંક વધી રહયો છે. ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ભરાવો તેમજ સમયસર સફાઈના અભાવે મચ્છરોની ઉત્પતિમાં વધારો થયો છે જેના પરીણામ સ્વરૂપે ડેન્ગયુ તથા ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે.

એક અંદાજ મુજબ ર૦૧પ બાદ પ્રથમ વખત ચીકનગુનીયાના સૌથી વધુ કેસ ર૦ર૧માં નોધાયા છે જયારે ર૦ર૦ની સરખામણીએ ડેન્ગયુના કેસમાં ચાર ગણો વધારો થયો છે. ડેન્ગયુની ઝપટમાં પ૦ કરતા વધુ નવજાત શિશુ આવી ગયા છે જયારે ૧પ કે તેથી વધુ વયના ૧ર૦૦ જેટલા નાગરિકો ડેન્ગયુનો ભોગ બન્યા છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં ડેન્ગયુના કારણે બે મૃત્યુ પણ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે ચાલુ વર્ષમાં ૯ ઓકટોબર સુધી ડેન્ગયુના ૧૮ર૦ કેસ કન્ફર્મ થયા છે. ર૦ર૦ના સમગ્ર વર્ષ દરમ્યાન ડેન્ગયુના માત્ર ૪૩ર કેસ નોંધાયા હતા જયારે ર૦૧પથી ર૦ર૦ સુધીના વર્ષ દીઠ ડેન્ગ્યુના કેસની સંખ્યા જાેવામાં આવે તો ર૦૧પમાં ર૧૬પ કેસ, ર૦૧૬માં ર૮પર, ર૦૧૭માં ૧૦૭૯, ર૦૧૮માં ૩૯૩પ, ર૦૧૯માં ૪પ૪૭ તથા ર૦ર૦માં ૪૩ર કેસ નોંધાયા હતા.

નિષ્ણાતોના મંતવ્ય મુજબ ડેન્ગયુના કેસ સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધીના સમયગાળામાં વધુ નોધાય છે. તેથી ર૦ર૧માં પણ ડેન્ગયુના કુલ કેસની સંખ્યા ત્રણ હજાર આસપાસ થઈ શકે છે. ચાલુ મહીનામાં ડેન્ગયુના કારણે બે મૃત્યુ થયા છે વસ્ત્રાલ વિસ્તારના ૧૬ વર્ષના કિશોર તથા નારોલમાં માત્ર બે વર્ષના બાળકનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયુ છે.

ર૦ર૧ના વર્ષમાં ૦૯ ઓકટોબર સુધી ડેન્ગયુના ૧૮ર૦ કેસ નોંધાયા છે જે પૈકી શૂન્યથી એક વર્ષ સુધીના પ૩ નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. જયારે ૧પ કે તેથી વધુ વયના ૧ર૧૮ નાગરીકો ડેન્ગયુના સકંજામાં આવ્યા છે. ડેન્ગયુના કુલ ૧૮ર૦ કેસમાં ૧૦૦૮ પુરુષ દર્દી અને ૮૧ર મહીલા દર્દીનો સમાવેશ થાય છે.

શહેરમાં ડેન્ગ્યુની માફક ચીકનગુનીયાના કેસ પણ સતત વધી રહયા છે. ર૦ર૧માં ૦૯ ઓકટોબર સુધી ચીકનગુનીયાના ૯ર૩ કેસ નોંધાયા છે. જે છેલ્લા ૦૬ વર્ષમાં સૌથી વધુ છે. ર૦૧પના વર્ષમાં ચીકનગુનીયાના ૧૪, ર૦૧૬માં ૪૪૭, ર૦૧૭માં રપ૭, ર૦૧૮માં ૧૯૪, ર૦૧૯માં ૧૮૩ તથા ર૦ર૦માં ૯ર૩ કેસ નોંધાયા હતા. ર૦ર૦ના સમગ્ર વર્ષ દરમ્યાન ૯ર૩ કેસ કન્ફર્મ થયા હતા જેની સામે ર૦ર૧માં ૯ ઓકટોબર સુધી જ ૯૧૪ કેસ નોંધાયા છે.

જેમાં વધારો થવાની પૂર્ણ શક્યતા છે. ચીકનગુનીયા અને ડેન્ગયુની માફક સાદા અને ઝેરી મેલેરીયાના કેસ પણ વધી રહયા છે. ર૦ર૧માં નવ ઓકટોબર સુધી સાદા મેલેરીયાના ૭૬૯ તથા ઝેરી મેલેરીયાના ૭૩ કેસ નોંધાયા છે. ર૦ર૦ના વર્ષ દરમ્યાન સાદા મેલેરીયાના ૬૧૮ તથા ઝેરી મેલેરીયાના ૬૩ કેસ નોંધાયા હતા.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે- સાથે પાણીજન્ય રોગચાળો પણ બેકાબુ બની રહયો છે. ર૦ર૧માં ઝાડા ઉલ્ટીના ર૮૭૮, કમળાના ૧૦પ૧, ટાઈફોઈડના ૧૬રર તથા કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા સપ્લાય થતા દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વકરી રહયો હોવાનું માનવામાં આવે છે. ર૦ર૦ના વર્ષ દરમ્યાન કમળાના માત્ર ૬૬૪ અને કોલેરાના શૂન્ય કેસ કન્ફર્મ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.