Western Times News

Gujarati News

ચુંટણી માટે જાહેર થયેલી મતદાર યાદીમાં નવા નોંધાયેલ મતદારોના નામો શામેલ ન કરાતા નારાજગી

અંકલેશ્વર તાલુકાના ૮૦૦૦ નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારોના નામો શામેલ ન થવાથી થયેલ લેખિત અને મૌખિક રજુઆતો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, રાજ્ય માં આવનારા ડીસેમ્બર મહિના માં અનેક ગ્રામ પંચાયતો માં ચુંટણી જાહેર કરવામાં આવી છે. અને તે માટે પંચાયતો માં મતદાર યાદીઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.પરંતુ જાહેર થયેલી મતદાર યાદી માં ચાલુ વર્ષ માં ૧૬ જાન્યુઆરી-૨૧ પછી નવા નોંધાયેલ મતદારોના નામો શામેલ ના કરાતા ભારે નારાજગી દેખાઈ રહી છે.

આ મતદારો ના નામો કેન્દ્ર ચુંટણી પંચની યાદી માં શામેલ છે જેને ઘટક-૨ કે પુરવણી યાદી-૨ તરીકે નોધવામાં આવેલ છે.અંકલેશ્વર તાલુકા ના અંદાજે ૮૦૦૦ મતદારો સહીત રાજ્ય ના લાખો મતદારો આ પ્રસિદ્ધ થયેલ યાદી માં શામેલ ના હોવાના કારણે તેઓ નામો નોધાયા હોવા છતાં મત આપવાના મોલિક અધિકાર થી વંચિત રેહશે.

આ બાબત માં લેખિત અને મૌખિક ફરિયાદ કરનાર પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મતદાન નોધણી માટે મોટા અભિયાનો ચલાવવા માં આવે છે કરોડો નો ખર્ચ કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓ રજા ના દિવસે પણ ફરજ બજાવી મતદાર યાદીઓ તૈયાર કરતા હોય અને એ યાદીઓ નો સમાવેશ ગ્રામ પંચાયતો ની ચૂંટણી માટે ના કરાતો હોય તો આ મતદારો સાથે ફરજ બજાવનારા અધિકારીઓ સાથે પણ અન્યાય છે.

સાચા અને લાયક મતદારો મત આપવાના અધિકાર થી વંચિત ના રહે તે માટે ની અમારી લેખિત અને મોખિક રજૂઆત ના જવાબ માં મામલદાર અંકલેશ્વરે જણાવ્યું છે કે આ યાદી રાજ્ય ચુંટણી પંચ તરફથી જાહેર થઈ છે.તમારા વાંધા/સૂચનો અમો વડી કચેરીએ મોકલી આપીશું આખરી નિર્ણય વડી કચેરી જ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.