૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના નવા ૮૭ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં ૮૭ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૭૩ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૦૧૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૧ ટકાએ પહોંચ્યો છે.
બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં સાંજે ૪ વાગ્યા સુધીમાં ૨,૧૬,૬૫૦ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. રાજ્યમાં હાલ કુલ ૫૮૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૮ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૫૮૧ નાગરિકો સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૦૧૦ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૧૦૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે રાજ્યમાં બે લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આજના કેસના આંકડાઓની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં ૩૩, જ્યારે ૧૦ લોકો ડિસ્ચાર્જ થયા છે, તેવી રીતે સુરત કોર્પોરેશનમાં ૧૨ કેસ, ૭ ડિસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં ૧૧ કેસ, ૧૪ ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં ૬ કેસ, એક મોત અને ૧૦ લોકો ડિસ્ચાર્જ થયા છે.
ખેડામાં ૦૫ કેસ, ૧ ડિસ્ચાર્જ, વલસાડમાં ૫ કેસ, ૧ મોત અને ૨ ડિસ્ચાર્જ, નવસારીમાં ૪ કેસ, ૨ ડિસ્ચાર્જ, આણંદમાં ૩ કેસ, ૩ ડીસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં ૨ કેસ, ૧ ડિસ્ચાર્જ, કચ્છમાં ૨ કે, ૨ ડિસ્ચાર્જ, ભરૂચમાં ૧ કેસ, જામનગર કોર્પોરેશનમાં ૧ કેસ, ૧૪ ડિસ્ચાર્જ, મહેસાણામાં ૧ કેસ, ૧ ડિસ્ચાર્જ, રાજકોટમાં ૧ કેસ આ પ્રકારે કુલ ૭૦ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૬ને રસીનો પ્રથમ, ૫૧૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરની ૬૨૭૧, ૫૦૪૫૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૦૯૯૧ નાગરિકોને રસીનો પ્રથમ, ૧૩૮૪૧૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૧૬,૬૫૦ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૮,૭૫,૦૧,૪૦૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS