મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ પણ હિન્દુત્વ બ્રિગેડના નિશાને: ચિદમ્બરમ
નવીદિલ્હી, કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે બુધવારે આરોપ લગાવ્યો કે મુસ્લિમો પછી હવે હિન્દુત્વ બ્રિગેડનું નવું નિશાન ખ્રિસ્તીઓ છે. તેમણે મિશનરીઝ ઑફ ચેરિટીના હ્લઝ્રઇછ રજિસ્ટ્રેશનને રિન્યૂ કરવાનો સરકારના ઇનકારને ટાંકીને આ કહ્યું હતું.
ગોવા માટે કાૅંગ્રેસના વરિષ્ઠ ચૂંટણી નિરીક્ષક ચિદમ્બરમગોવા માટે કાૅંગ્રેસના વરિષ્ઠ ચૂંટણી નિરીક્ષક ચિદમ્બરમે પણ દાવો કર્યો હતો કે મુખ્ય પ્રવાહના મીડિયાએ મિશનરીઝ ઑફ ચેરિટી સંબંધિત ગૃહ મંત્રાલયની કાર્યવાહીના સમાચાર તેના પૃષ્ઠો પરથી હટાવ્યા છે. તેણે કહ્યું કે તે દુઃખદ અને શરમજનક છે.ગરીબ અને વંચિત વર્ગો’ માટે જાહેર સેવા પર સીધો હુમલોટિ્વટર પર તેમણે કહ્યું, મિશનરીઝ ઑફ ચેરિટીના નવીકરણનો અસ્વીકાર એ ભારતના ‘ગરીબ અને વંચિત વર્ગો’ માટે જાહેર સેવા કરતી એનજીઓ પર સીધો હુમલો છે.
મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વ બ્રિગેડના નિશાનેચિદમ્બરમે કહ્યું, એમઓસીના કિસ્સામાં, તે ખ્રિસ્તીઓના સખાવતી કાર્ય સામે પક્ષપાત દર્શાવે છે. મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વ બ્રિગેડના નવા નિશાને છે.ગોવા વિધાનસભા ચૂંટણીગોવા વિધાનસભા ચૂંટણીમાં સતત બે હાર બાદ કાૅંગ્રેસ આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ચૂંટણીમાં પુનરાગમન કરવાની આશા સેવી રહી છે.HS