Western Times News

Gujarati News

મણિપુરમાં જવાન અને ભાજપ કાર્યકરની હત્યા

ઈમ્ફાલ, મણિપુર વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજ્યમાં હિંસા શરુ થઈ ગઈ છે. હુમલાખોરોએ ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના એક જવાન સહિત બેની હત્યા કરી છે.આ પૈકી એક ભાજપ કાર્યકર છે.

ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે હુમલામાં મોતને ભેટનાર એક પાર્ટીનો સભ્ય હતો અને કૃષિ મંત્રી માટે કામ કરતો હતો. મણીપુરના સીએમે પણ મરનારાના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યુ હતુ કે, આ ભાજપના સમર્થકો પરનો હુમલો છે અ્‌ને સરકાર જ્યાં સુધી દોષીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી શાંત નહી બેસે.પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન આ હત્યાના પગલે તનાવ ફેલાયો છે.નારાજ લોકોએ ચક્કાજામ પણ કર્યો હતો.જાેકે પોલીસે તેમને હટાવી દીધા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.