છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ
બીજાપુર, છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સર્ચ પર ગયેલા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર ઉસૂર બ્લોકમાં તિમ્માપુરમને અડીને આવેલા પુટકેલ જંગલોમાં થયું હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી હોવાનું જાણવા મળે છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ અને એક જવાન ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. બીજાપુરના એસપી કમલોચન કશ્યપે આ વાતની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ કેટરિંગ સેવા દ્વારા ટ્રેનોમાં કેટરિંગ સેવાઓ બંધ કરી દીધી હતી. આ સિવાય અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જાે કે, ૈંઇઝ્ર્ઝ્રએ ધીમે ધીમે સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું શરૂ કર્યું છે.
મળતી માહિતી અનુસાર, સીઆરપીએફ ૧૬૮ બટાલિયનના જવાનો બીજાપુરના ઉસૂર બ્લોકમાં પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન તિમ્માપુરને અડીને આવેલા પુટકેલ જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સીઆરપીએફ ૧૬૮ બટાલિયન અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં ઝારખંડના રહેવાસી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એસબી તિર્કી શહીદ થયા છે, જ્યારે એક જવાન પણ ઘાયલ થયો છે. એન્કાઉન્ટરની આ ઘટના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
બીજાપુરના એસપી કમલોચન કશ્યપે જણાવ્યું કે, તેમને મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરીની માહિતી મળી હતી. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. બેકઅપ પાર્ટી પણ રવાના કરવામાં આવી છે. ઘાયલ જવાનોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માઓવાદીઓ છેલ્લા ત્રણ દિવસથી સતત વિવિધ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બીજાપુરમાં ગઈકાલે જ એક ખાનગી કંપનીના એન્જિનિયર અને તેના સહયોગીનું નક્સલવાદીઓએ અપહરણ કર્યું હતું.HS