Western Times News

Gujarati News

૭/૧૨માં નામ હોવાનો દુરુપયોગ કરી લોન મેળવી: ક્રિમીનલ કેસ દાખલ

તમામ ૧૧ આરોપીઓ સામે ક્રિમીનલ કેસ દાખલ કરી આરોપીઓને સમન્સ જારી કરવાનો હુકમ કર્યો

વડોદરા, વડોદરા નજીક આવેલ મુજાર ગામડી ખાતે અગાઉના જમીન માલિકોએ વેચાણ કરેલ મિલકત ઉપર ખોટી રીતે બેંકમાંથી છ લાખનું ધિરાણ મેળવી મિલકત ઉપર બોજો દાખલ કરાવતા હાલના વાદી જમીન માલિકે મૂળ માલીકો સામે છેતરપિંડી આચરવા બદલ ફોજદારી કાર્યવાહી હેતુ

વડોદરાના સેકન્ડ જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આઇપીસીની કલમ ૪૦૬, ૪૧૮, ૪૨૦ તથા ૧૨૦(બી) હેઠળ લેખિતમાં ફરિયાદ અરજી દાખલ કરી હતી. રેકોર્ડ હાજર પુરાવા અને ફરિયાદ પક્ષની દલીલો તપસ્યા બાદ અદાલતે ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખી આરોપીઓ સામે ૈંઁઝ્ર ૪૦૬, ૪૧૮, ૪૨૦ અને ૧૨૦મ્ હેઠળ ગુનાનું કોગ્નિઝન્સ લીધું હતું

અને પ્રથમ દ્રષ્ટિએ ગુન્હો બનતો હોય ફરિયાદ અરજીને મેજિસ્ટ્રેટ કમ્પ્લેન (પ્રાઇવેટ ફરિયાદ) તરીકે દાખલ કરી ફરિયાદમાં જણાવેલ તમામ ૧૧ આરોપીઓ સામે ક્રિમીનલ કેસ દાખલ કરી આરોપીઓને સમન્સ જારી કરવાનો હુકમ કર્યો હતો.

શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી સંદીપ સૂર્યકાંત પટેલની જાંબુઆ ગામ નજીક મુજારગામડી ખાતે રે. સ.નં ૧૧૬, ૧૧૭ અને ૧૧૮ વાળી જમીન જે એમના સ્વ.દાદાએ વેચાણ રાખેલ હતી તે જમીનના મુળ જમીન માલિકોના હાલના વારસદારો દ્વારા બેંક ઓફ બરોડાની વરણામા બ્રાંચમાંથી રૂપિયા ૬ લાખની લોન લઈ લેતા વડોદરાની કોર્ટમાં છેતરપિંડી, વિશ્વાસઘાતની ખાનગી ફરિયાદ દાખલ કરેલ હતી.

ફરિયાદીના દાદા દ્વારા જમીનની વેચાણ કિંમત પૂરેપૂરી ચૂકવી દેવા છતાં જેતે અસલ જમીન માલિકો દ્વારા પાકો વેચાણ દસ્તાવેજ ના કરી આપતાં વડોદરાની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેનો અંતિમ ચુકાદો અપીલ સાથે વર્ષ ૨૦૧૭માં આવેલ હતો. ૧૯૮૨ના કેસના ચુકાદાની બજવણી માટે ફરિયાદીના પિતાએ વડોદરાની કોર્ટમાં દરખાસ્ત અરજી ભરેલ હતી,

જે દરમિયાન દરખાસ્ત પ્રતિવાદી દ્વારા ૭/૧૨ના ઉતારામાં નામ હોવાનું કહીને બેંક ઓફ બરોડાની વરણામા બ્રાન્ચમાંથી લોન લઈ લેવામાં આવી હતી. ૧૯૮૨ના દાવાની હુકમની નોંધ ગામ દફતરે પડેલ હોવા છતાં બેંક ઓફ બરોડાએ અંડર ટ્રાયલ તથા નવી શરતની જમીન હોવા છતાં જમીન ઉપર રૂપિયા છ લાખની લોન આપી દેતાં સંદીપ પટેલ દ્વારા પોતાના વકીલ અમિષ દાદાવાલા મારફતે કોર્ટ રાહે ન્યાય માંગવાની તજવીજ કરવામાં આવી હતી.

મુળ જમીન માલિકોની ગેરકાનુની હરકતથી નારાજ થઈને સંદીપ પટેલે અદાલતનાં દ્વાર ખખડાવતા અને ન્યાયના હિતમાં ફરિયાદ દાખલ કરવા મેજિસ્ટ્રેટ સાહેબને લેખિતમાં ફરિયાદ કરેલ હતી.

ફરિયાદ અરજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દીપેશ મિતલની કોર્ટમાં ચાલી જતાં અને ફકત ૧૦ દિવસનાં ટુંકાગાળામાં ફરિયાદી અને સાક્ષીઓના નિવેદન નોંધી પુરાવાની ચકાસણી કરી ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રી અમિષ દાદાવાલાની રજુઆતો ધ્યાનમાં લેતા અદાલતે ફરિયાદ પક્ષના તથ્યોને ગ્રાહ્ય રાખી ૈંઁઝ્ર ની કલમ ૪૦૬, ૪૧૮, ૪૨૦ અને ૧૨૦મ્ હેઠળ કાર્યવાહી કરી ગુનો નોંધવા અને આરોપીઓ સામે સમન્સ જારી કરવા હુકમ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.