Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટમાં રૂપિયા ૮પ કરોડનો લિન્ક વે બંધ કરી દેવાયો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે રૂપિયા ૮પ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ઈન્ટર ટર્મીનલ લિન્ક-વે હવે કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને એક ટર્મીનલથી બીજા ટર્મીનલમાં જવા સરળતા રહે માટે આ લિન્ક વે બનાવવામાં આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મીનલને સીગાપોરના ચાંગી એરપોર્ટ જેમકાઈટ આકારનું બનાવીને તેનું જુલાઈ ર૦૧૦માં ઉદઘાટન થયું હતું. એ વખતે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને દેશમાં પ્રથમ ડોમેસ્ટીકથી ઈન્ટરનેશનલ ટર્મીનલને જાેડતો ઈન્ટર ટર્મીનલ લીન્ક-વે બનાવાયો હતો.

જેનાથી મુસાફરો સરળતાથી એકથી બીજા ટર્મીનલમાં જઈ શકે. સેન્ટ્રલથી એસી લીન્ક-વેમાં એસ્કેલેટર દ્વારા મુસાફર ૧૬ મીનીટમાં૪૦૦ મીટરનું અંતરકાપી શકતો હતો.

ડોમેસ્ટીકથી કોઈ મુસાફરને ઈન્ટરનેશનલ ફલાઈટ પકડવી હોય તો આ લીન્ક વેનો ઉપયોગ કરી શકે એવું ઓથોરીટીનું માનવું હતું. પરંતુ હવે આ ગણીત ખોટું પડતાં રૂપિયા ૮પ કરોડ પાણીમં ડૂબી ગયા છે. હવે અમદાવાદ એરપોર્ટનું પીપીપી ધોરણે ખાનગીકરણ થયા બાદ આ લિન્ક વેને ઉપયોગમાં નહી લેવાનાં સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.