Western Times News

Gujarati News

નવા નોટરી ડ્રાફટથી અનેક પરિવારની આજીવિકા છીનવાશે

સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસો.નું કેન્દ્રીય મંત્રીને આવેદન

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લા એસો. દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને આવેદન આપી ડ્રાફટ નોટરી (સુધારો) પર ટિપ્પણી કરી સૂચનો કરાયા છે. આ બિલમાં નોટરી એકટ ૧૯પરમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
સૂચિત બિલમાં પ્રેકટીશના પ્રમાણપત્રોના નવીનીકરણને પ્રતિબંધિત કરવાની દરખાસ્ત છે.

બે ટર્મ સુધીની નોટરી એટલે કે મૂળ પાંચ વર્ષની મુદત અને બે નવીનીકરણ દરેકની પાંચ વર્ષની મુદત છે. વ્યવસાયિક ગેરવર્તણૂકના કેસમાં પ્રેકટીશના પ્રમાણપત્રને સ્થગિત કરવાની સત્તા, નોટરીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ નોટરીયલ કાર્યનું ડીજીટાઈઝેશન સામે સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસો. દ્વારા સૂચન કરાયા છે.

ડ્રાફટ બિલમાં બે ટર્મ સુધી નોટરીના કામના પ્રેકટીશના પ્રમાણપત્રોના નવીનીકરણને પ્રતિબંધિત કરવાની દરખાસ્ત છે. એવા ઘણા કાનૂની પ્રેકટીશનરો છે જેઓ મુખ્યત્વે નોટરીની સેવા કરે છે તેમના કાર્યને પ્રતિબંધિત કરવાથી તેઓ વ્યવસાયમાંથી બહાર થઈ જશે. તેના પરિવારની આજીવિકા છીનવાઈ જશે.

પબ્લિક નોટરી તરીકે સેવા આપવા માટે યુવાન અને લાયક કાનૂની પ્રેકટીશનરોને તક આપવી જાેઈએ, પરંતુ વર્તમાન અને વરિષ્ઠ કાયદાકીય ખર્ચ પર નહી. દેશમાં વસતી વધવાની સાથે નોટરીની માંગ પણ વધશે. નોટરીનું કામ સરકારી કામ છે. નોટરી સરકાર વતી કામ કરે છે. સુધારો વિધેયકના ડ્રાફટ સાથે સરકારનો બોજ ઘટાડવાની નોટરીની ફરજ છે.

પણ સરકાર માત્ર પોતાના સુધારા કામનો બોજ ઉઠાવી રહી છે. સુરેન્દ્રનગરના નોટરી એસો.ના પ્રમુખ રવીન્દ્રસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ પ્રીતિબેન મહેતા, મંત્રી જે.કે. દવેએ સૂચનો ધ્યાનમાં લેવા રજૂઆત કરી છે. જેથી વરિષ્ઠ કાનૂની પ્રેકટીશનરોના હિતમાં અવરોધ ન આવે. ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લાના સરકારી વકીલ મનસુખભાઈ સભાણી પણ હાજર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.