Western Times News

Gujarati News

અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં ભૂસ્ખલનઃ ૫ાંચના મોત

ઇટાનગર, અરુણાચલ પ્રદેશમાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇટાનગરમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે પાંચ લોકોના મોત થયા છે અને છ ઘાયલ થયા છે.

રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારી નિયમો મુજબ, મૃતકો અને ઘાયલોના નજીકના સંબંધીઓને જરૂરી એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે કેટલાક જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. તે જ સમયે, આ દિવસોમાં આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.