Western Times News

Gujarati News

દલિતોના વરઘોડા પર પથ્થરમારો કરનારા આરોપીઓના ઘર પર બુલડોઝર દોડાવાયું

ભોપાલ, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના જીરાપુરમાં મસ્જિદ પાસે મંગળવારે રાત્રે બેન્ડ અને ડ્રમ બંધ કરાવવાના વિવાદમાં, વોર્ડ નંબર ૪ જ્યાં દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આજે તે જ વોર્ડમાં વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરનું અતિક્રમણ કરવામાં આવ્યું હતું.

આરોપીઓના ઘરો તોડવામાં આવ્યા હતા. અતિક્રમણ હટાવવા સંદર્ભે બુધવારે રાત્રે ઝીરાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના વાહનમાંથી નગરપાલિકા દ્વારા અતિક્રમણ કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી.

જે બાદ આજે સવારથી અતિક્રમણ કરનારાઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે માટે ૨૧ આરોપીઓના ઘરની બહાર નિશાન લગાવીને ઘરની નિશાની કરવામાં આવી હતી. આ પછી આજે ઓળખાયેલા ઘરો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રેવન્યુ સ્ટાફ નગરપાલિકાએ ભારે પોલીસ બંદોબસ્ત સાથે પોકલેન મશીન અને જેસીબી મશીન વડે મકાન તોડી પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે માતાજી વિસ્તારમાં રહેતા દલિત પરિવારના મદનલાલ માલવિયાની પુત્રી અંજુના લગ્નમાં મંગળવારે સુસનેરથી વરઘોડો જીરાપુર આવ્યો હતો. રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ વરઘોડો નિકળ્યો હતો. જયારે મસ્જિદથી થોડે દૂર એક ચોક્કસ ધર્મના કેટલાક બદમાશોએ પથ્થરમારો શરૂ કર્યો. જેમાં ૪ બારાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જેમાં ફરિયાદી મદનલાલ માલવિયાની ફરિયાદ પરથી ૮ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સીસીટીવીમાં બદમાશોના ફૂટેજ સામે આવ્યા બાદ વહીવટી તંત્રને સરકારી જમીનોમાં અતિક્રમણની જાણ થઈ, ત્યારબાદ નોટીશ આપવામાં આવી બાદ આજે આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.