Western Times News

Gujarati News

બેંક યુનિયનની હડતાલથી નાણાંકીય વ્યવહારને અસર

 નવીદિલ્હી : ઓલ  ઈન્ડિયા  બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઈએ) અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં આશરે ૩૫૦૦૦૦ કર્મચારીઓ હડતાળ પાડનાર છે જેના પરિણામ સ્વરુપે બેંકિંગ ઓપરેશનને માઠી અસર થઇ શકે છે. યોજાયેલી વાતચીત ફ્લોપ રહ્યા બાદ હડતાળ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

૧૦ જાહેર ક્ષેત્રની બેંકોને ચાર બેંકોમાં ફેરવી દેવાના સરકારના નિર્ણય સામેના વિરોધમાં બેંક યુનિયનો આવતીકાલે હડતાળ પાડનાર છે. બેંક યુનિયનોએ આજે બોલાવવામાં આવેલી બેઠક સફળ ન રહેતા બેઠકને રદ કરીને હડતાળ ઉપર આગળ વધવાનો નિર્ણય કર્યો છે. ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ) દ્વારા વાતચીત માટે બેઠક બોલાવવામાં આવી હતી

પરંતુ આ વાતચીત નિષ્ફળ ગઇ હતી. શ્રમ મંત્રાલય દ્વારા વાતચીતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે આ બેંક યુનિયનો હડતાળ ઉપર ઉતરશે. બે એસોસિએશન દ્વારા ૧૦ બેંકોને ચાર બેંકોમાં ફેરવી નાંખવાના સરકારના નિર્ણય સામે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે.

છ મહત્વપૂર્ણ રાષ્ટ્રીયકૃત બેંકોને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી ચુક્યો છે. બેઠકમાં નાણામંત્રાલયના અધિકારીઓ, બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત  રહ્યા હતા. હડતાળ પર નહીં જવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા ધ્યાન આપવામાં ન આવતા હડતાળ સાથે આગળ વધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.