Western Times News

Gujarati News

કુલગામમાં આતંકીઓએ બેંકના કર્મચારીની ગોળી મારી હત્યા કરી

બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ સુરક્ષાકર્મી એલર્ટ: આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને હુમલાખોરોની શોધ શરૂ કરી દેવામાં આવી છે

જમ્મુ, જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત હિન્દુ નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કુલગામમાં એક બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
રાજસ્થાનના નિવાસી વિજય કુમાર ઘાટીમાં બેંક મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા. શંકાસ્પદ આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં તેમની હત્યા કરી દીધી છે.

એક શીર્ષ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કુલગામમાં ઈલાકાહી દેહાતી બેંકના મેનેજર વિજય કુમાર પર આજે સવારે જિલ્લાના આરેહ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ તેમના પર ગોળી ચલાવી હતી ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

કુલગામની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા બહારના લોકો, કાશ્મીરી પંડિતો અને હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. આ અઠવાડિયામાં આ નાગરિકો પર થયેલો બીજાે હુમલો છે. આ અગાઉ કુલગામ તૈનાત હતા. વિજય કુમાર પર હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં જાેઈ શકાય છે કે, એક આતંકવાદી બેંકમાં દાખલ થાય છે.

તે થોડા સમય સુધી બેંકના ગેટ પર ઊભો રહીને રાહ જુવે છે ત્યારબાદ પિસ્તોલ કાઢીને વિજય કુમાર પર ફાયરિંગ કરે છે. ગોળી વાગવાથી વિજય કુમારનું મૃત્યુ થઈ જાય છે. વિજય કુમાર બેનીવાલ જિલ્લાના નોહર તહસીલ ગામ ભગવાનના રહેવાસી હતા. તેમના પિતાનું નામ ઓમપ્રકાશ બેનીવાલ છે. તેઓ એક શિક્ષક છે. વિજય કુમારના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેમના મૃત્યુના સમાચારથી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે વિજય કુમારના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કુલગામમાં કાર્યરત હનુમાનગઢ રાજસ્થાનના નિવાસી વિજય કુમારની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી અત્યંત નિંદનીય છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, તેઓ તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને હિંમત આપે.

તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા લખ્યું કે, એનડીએ સરકાર કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવામાં અસમર્થ રહી છે. કેન્દ્ર સરકાર કાશ્મીરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે. અમારા નાગરિકોની આ પ્રકારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યા સહન કરવામાં નહીં આવશે. જિલ્લામાં જ રજની બાલા નામની એક શિક્ષિકાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બીજી તરફ બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ સુરક્ષાકર્મી એલર્ટ થઈ ગયા છે.

આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ શરૂ કરી દેવામાં આવી છે. આ મહીનામાં ઘાટીમાં આતંકવાદીઓના નિશાન પર સામાન્ય નાગરિકો છે તેના કારણે સરકાર પણ ચિંતિત છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.